Surat : કોરોનામાં 1580 ડોક્ટર મૃત્યુ પામ્યા, સહાય મળી ફક્ત 187 ડોક્ટરોને : IMA
કોરોના વોરિયર્સ એવા તબીબોએ કોરોના મહામારી દરમ્યાન જીવ ગુમાવ્યો હતો. આવા અસંખ્ય તબીબોને હજી સહાય મળી શકી નથી.
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા યોજાયેલી નેશનલ જુનિયર ડોક્ટર્સ નેટવર્ક લીડર્સ મીટમાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે કોરોનાની બંને લહેરમાં ભારતમાં કોરોના વોરિયર્સ એવા 1580 થી વધુ પ્રેક્ટિશનરો મૃત્યુ પામ્યા હતા. જેમાં 187 પ્રેક્ટીશ્નરોને સરકાર દ્વારા રૂ. 50 લાખની સહાય આપવામાં આવી છે. બાકીના ડોક્ટરોના પરિવારજનોને પણ સરકાર સહાય કરે તે માટે સરકારને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે.
સુરતમાં જુનિયર ડોક્ટર્સની સમસ્યા અને વિવિધ મેડિકલ તેમજ નોન મેડિકલ બાબતો અંગે ચર્ચા કરવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ગુજરાત બ્રાન્ચ અને સુરત બ્રાન્ચ દ્વારા નેશનલ જુનિયર ડોક્ટર્સ નેટવર્ક લીડર્સ મિટનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત અને ગુજરાત મેડિકલ એસોસિયેશનના ઘણા સભ્યો આ મિટિંગમાં હાજર રહ્યા હતા.
કોરોનાની મહામારી દરમ્યાન સમગ્ર દેશમાં જુનિયર ડોક્ટર્સ વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાનું આઈ.એમ.એ.ની નેશનલ બોડીએ પણ સ્વીકાર્યું છે. ઉપરાંત તબીબો પણ કેટલીક મેડિકલ અને નોન મેડિકલ સમસ્યાઓનો સામનો કરતા હોવાથી તેની ચર્ચા અને ઉકેલ લાવવા બાંહેધરી આપવામાં આવી છે. આ મિટિંગમાં અન્ય ચર્ચાઓ પણ કરવામાં આવી હતી.
પરંતુ આજદિન સુધી કોઈ સહાય મળી નથી. હવે પત્ર લખીને સરકારને રજૂઆતો કરવામાં આવશે. આઈ.એમ.એ. હંમેશા પ્રેક્ટિશનરો સાથે છે એટલે મહામારીમાં મૃત્યુ પામેલા 28 જેટલા ડોક્ટરોના પરિવારને રોકડ સહાય કરી તેમની સાથે હોવાનું ઉદાહરણ પણ આપ્યું છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે છેલ્લા અઢી મહિનામાં જ 800 જેટલા ડોક્ટરોએ મહામારીમાં પોતાની ફરજ નિભાવી જીવ ગુમાવ્યો છે. આ વર્ષે ઓફલાઈન મિટિંગમાં જુનિયર ડોક્ટરોની સમસ્યા અને રજૂઆતો પણ સાંભળવામાં આવી છે. અને તેનો ચોક્કસ નિરાકરણ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
તબીબીનું એ પણ કહેવું હતું કે સરકાર ફક્ત સરકારી ડોક્ટરોને જ ડોક્ટર સમજે છે. પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને ડોક્ટર સમજતી નથી. આઇએમએ દ્વારા ફંડ એકત્ર કરીને કોરોનામાં મૃત્યુ પામનાર 28 જેટલા ડોક્ટરોના પરિવારને 10-10 લાખની મદદ કરી છે. આ મામલે સતત પાંચ પાંચ વખત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ સરકાર સાંભળતી નથી. ડોકટરો વેક્સિનેશન સહીત તમામ કાર્યક્રમોમાં સરકારની સાથે રહ્યા છે.
આ પણ વાંચો :