Surat : રખડતા શ્વાને 20 જેટલા લોકોને ભર્યા બચકા, રસ્તા પરથી પસાર થતા પણ ડરે છે લોકો

સુરતમાં (Surat) ભટાર વિસ્તારમાં ત્રણથી ચાર શ્વાને 15તી 20 જેટલા લોકો પર હુમલો કર્યો છે. આ શ્વાનોએ અનેક લોકોને બચકા ભરીને તેમને ઇજાગ્રસ્ત કર્યા છે.

Surat : રખડતા શ્વાને 20 જેટલા લોકોને ભર્યા બચકા, રસ્તા પરથી પસાર થતા પણ ડરે છે લોકો
સુરતના ભટાર વિસ્તારમાં રસ્તે જતા લોકો પર શ્વાને કર્યો હુમલો (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 12:51 PM

ગુજરાતમાં (Gujarat) રખડતા ઢોરના આતંક વિશે તો અવારનવાર સમાચાર સામે આવતા જ હોય છે. જો કે સુરતમાં (Surat) રખડતા શ્વાનનો (Street Dogs) આતંક સામે આવ્યો છે. સુરતમાં ભટાર વિસ્તારમાં ત્રણથી ચાર શ્વાને 15તી 20 જેટલા લોકો પર હુમલો કર્યો છે. આ શ્વાનોએ અનેક લોકોને બચકા ભરીને તેમને ઇજાગ્રસ્ત કર્યા છે. ત્યારે રખડતા શ્વાનના આતંકથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો માગ કરી રહ્યા છે કે રખડતા શ્વાન ફરી કોઇને ઇજા ન પહોંચાડે તે માટે તેમની સામે મહાનગરપાલિકાએ કાર્યવાહી કરવી જોઇએ.

રસ્તા પર અવર-જવર કરતા લોકો પર હુમલો

સુરત શહેરના ભટાર વિસ્તારમાં 2 જુલાઈએ શ્વાનનો આતંક સામે આવ્યો હતો. ભટાર વિસ્તારની શુભ મંગળ સોસાયટીમાં શ્વાનને 20 જેટલા લોકો પર હુમલો કર્યો હતો. સ્થાનિકોનો દાવો છે કે, 3થી 4 જેટલા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ શ્વાનોએ રસ્તા પર અવર-જવર કરતા લોકો પર હુમલો કરી દીધો હતો. ક્રૂર બનેલા શ્વાનોએ અનેક લોકોને બચકા ભરી દીધા હતા. શ્વાનના હુમલાના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

રસ્તા પરથી જતા-આવતા પણ ડરે છે લોકો

સ્થાનિકોનો દાવો છે કે, અવારનવાર શ્વાનના હુમલાની આવી ઘટના બનતી રહે છે. આ મામલે અનેકવાર તંત્રને આ શ્વાન સામે કાર્યવાહી કરવા રજૂઆત પણ કરવામાં આવી છે. છતાં કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. જેના કારણે લોકોને રસ્તા પરથી પસાર થવામાં પણ ડરનો સામનો કરવો પડી રહ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કાર્યવાહી કરાતી હોવાનો અધિકારીઓનો દાવો

તો બીજી તરફ આ મામલે અધિકારીએ દાવો કર્યો છે કે, ફરિયાદ મળતા જ તેમણે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. શ્વાનોનો સર્વે કરીને તેમને પકડવાની કાર્યવાહી કોર્પોરેશને શરૂ કરી દીધી હોવાનો દાવો પણ કર્યો હતો. તો બીજી તરફ વિપક્ષના નેતાએ તંત્રની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યુ કે, વિપક્ષ પણ આ મામલો ઉઠાવી ચૂક્યું છે. પરંતુ કોર્પોરેશન કોઇ નક્કર પગલાં નથી લેતું.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">