રાહુલ ગાંધી હાજીર હો..!! માનહાની કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટનું તેડુ

થોડા સમય પહેલાં લોકસભામાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ સભી ચોરો કા ઉપનામ મોદી ક્યોં હૈ ? એવી ટિપ્પણી કરી હતી. જે પછી સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો.

રાહુલ ગાંધી હાજીર હો..!! માનહાની કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટનું તેડુ
રાહુલ ગાંધી
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 23, 2021 | 3:37 PM

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આવતીકાલે સુરત આવે તેવી શકયતા છે. રાહુલ ગાંધીએ મોદી અટક વાળા વિરુદ્ધ ટીપ્પણી કરતા સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરત કોર્ટમાં રાહુલ ગાંધી સામે માનહાની નો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ ટિપ્પણીમાં રાહુલ ગાંધીએ લોકસભામાં જણાવ્યું હતું કે દરેક ચોરની અટક મોદી કેમ હોય છે? સુરત કોર્ટે તેમને ફર્ધર સ્ટેટમેન્ટ માટે સમન્સ પાઠવી હાજર રહેવાનો આદેશ આપતા ગુરુવારે રાહુલ ગાંધી સુરત આવે તેવી શકયતા છે.

થોડા સમય પહેલાં લોકસભામાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ સભી ચોરો કા ઉપનામ મોદી ક્યોં હૈ ? એવી ટિપ્પણી કરી હતી. જે પછી આ ટિપ્પણીનો ખૂબ વિરોધ થયો હતો. અને તે પછી તો સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો.

જેમાં કોર્ટે ફર્ધર સ્ટેટમેન્ટ માટે રાહુલ ગાંધીને ગુરૂવારના રોજ હાજર થવાનો હુકમ કર્યો છે. જોકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી આજે સાંજે સુરતમાં પત્રકાર પરિષદ સંબોધશે. જેમાં રાહુલ ગાંધી આવશે કે નહીં તેની જાહેરાત કરવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જોકે રાહુલ ગાંધીની સુરત મુલાકાતની શક્યતાને જોતા સુરત કોંગ્રેસમાં મિટિંગનો દોર શરૂ થઇ ગયો છે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અન્યાય સામે અવાજ ઉઠાવતા રહ્યા છે. તેઓને બદનામ કરવા માટે તેમની સામે ખોટા કેસો કરવામાં આવ્યા છે. પરંતુ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે.

આ પણ વાંચો: Surat: કોરોના ઘટતા હોસ્પિટલમાં સ્ટાફ વધુ અને દર્દી ઓછા જેવી પરિસ્થિતિ, લેવાયો આ મોટો નિર્ણય

આ પણ વાંચો: Surat : કાપડ ઉદ્યોગ માટે જીએસટીના દરમાં ફેરબદલ કરવા ફરી માંગ, 5 ટકાનો દર કરવા કરી માંગ

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">