Surat : ખેડૂતો માટે ખુશખબર, ઓલપાડ-ચોર્યાસી તાલુકા ખરીદ-વેચાણ સંઘના સભાસદ ખેડૂતોને 15 ટકા ડિવિડન્ડ મળશે

મંડળીના સભાસદ ખેડૂતોને 15 ટકા ડિવિડન્ડ આપવામાં આવશે. આ નિર્ણય ઓલપાડ-ચોર્યાસી તાલુકા ખરીદ-વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભામાં લેવાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 4:33 PM

સુરતના ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના ખેડૂતો (Farmers) માટે ખુશખબર છે. મંડળીના સભાસદ ખેડૂતોને 15 ટકા ડિવિડન્ડ આપવામાં આવશે. આ નિર્ણય ઓલપાડ-ચોર્યાસી તાલુકા ખરીદ-વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભામાં લેવાયો છે.

ડિરેક્ટરની એકરાગીતા અને સભાસદોની સંમતિથી ખેડૂતોના (Farmers) હિતમાં રહેલા એજન્ડાના તમામ કામો મંજૂર કરાયો છે. સભાસદ ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો છે.

ગુજરાતમાં સહકારી મંડળીઓનું હબ ગણાતા દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી કુદરતી વિપત્તિઓને કારણે સહકારી પ્રવુતિઓ ઉપર માઠી અસર થવા પામી છે. તેમજ કેન્દ્ર સરકારના સહકારી પ્રવુતિઓ ઉપર નાંખવામાં આવેલા ઈન્કમટેક્ષના કારણે વધારાનો આર્થિક બોજા પડ્યો છે. જેની સીધી અસર ખેડુતોના ઉપર જાવા મળી રહી છે.

ત્યારે ખેડૂતોની હિતમાં નાંખવામાં આવેલ ઈન્કમટેક્ષ નાબુદ કરવા, શેરડી પકવતા ખેડુતોને લોન અને ઓવરડ્રાફ્ટના વ્યાજ દરમાં ઘટાડો કરવા સહિતની વિવિધ માંગણઓ સાથે ખેડુત અને સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા દેશના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહને પત્ર લખી અને ઈમેલ દ્વારા રજુઆત કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">