કાળી મરીના 10 ફાયદા જેનાથી અત્યારસુધી તમે હશો અજાણ.

સલાડ હોય, ફળ હોય અથવા તો પીઝા હોય કે પાસ્તા. કાળી મરી દરેક વસ્તુનો સ્વાદ વધારે છે. અને તે આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આવો જાણીએ કાળી મરીના 10 ફાયદા. 1) કાળી મરીનો ખાંસી સર્દીની સીરપ માટે ઉપયોગ કરવામાં આવે છે. રાત્રે સૂતા પહેલાં એક ચમચી મધ, આદુના રસની સાથે ચપટી ભરીને […]

કાળી મરીના 10 ફાયદા જેનાથી અત્યારસુધી તમે હશો અજાણ.
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 27, 2020 | 9:52 PM

સલાડ હોય, ફળ હોય અથવા તો પીઝા હોય કે પાસ્તા. કાળી મરી દરેક વસ્તુનો સ્વાદ વધારે છે. અને તે આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આવો જાણીએ કાળી મરીના 10 ફાયદા.

1) કાળી મરીનો ખાંસી સર્દીની સીરપ માટે ઉપયોગ કરવામાં આવે છે. રાત્રે સૂતા પહેલાં એક ચમચી મધ, આદુના રસની સાથે ચપટી ભરીને કાળી મરી ખાવાથી કફ ઓછો થાય છે. અને, ચામાં મેળવીને પીવાથી પણ ફાયદો મળે છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

2) યુનિવર્સિટી ઓફ મિશિગન દ્વારા કરવામાં આવેલી એક સ્ટડી પ્રમાણે કાળી મરીમાં પીપેરીન નામનું રસાયણ હોય છે. જે કેન્સર સામે લડવામાં મદદરૂપ  છે.

3) જો કાળી મરીને હળદરની સાથે લેવામાં આવે તો તેની અસર વધારે થાય છે. ખાસ કરીને મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરને રોકવા માટે તે ખૂબ જ ફાયદાકારક છે

.

4) કાળી મરીમાં રહેલ પીપેરીન તત્વને કારણે લોહીનો સંચાર વધે છે. તેનાથી માંસપેશીઓના દર્દમાં રાહત મળે છે. તેલને હળવું ગરમ કરીને તેમાં કાળી મરી નાખો. અને પીઠ તેમજ ખભાની માલિશ કરો. સાંધાના રોગમાં પણ ફાયદાકારક છે.

5) કાળી મરીને કારણે પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડ વધારે બને છે, જે પચવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. તેનાથી પેટમાં દુખાવો, પેટ ફૂલવામાં અથવા તો કબજિયાતમાં રાહત મળે છે. જો તમને એસીડીટી અથવા ગેસની સમસ્યા છે તો મરીનો ઉપયોગ શરૂ કરો.

6) મોટી કાળી મરીને ખાંડ અને તેલની સાથે મિક્સ કરીને ચહેરા પર ઘસો. તેનાથી ચહેરાની ગંદકી દૂર થઈ જશે. કાળી મરીના કારણે રક્તસંચાર પણ ઝડપી બનશે. જેનાથી ચહેરા પર નિખાર આવશે.

7) 2010માં થયેલા એક સંશોધન પ્રમાણે કાળી મરી શરીરની ચરબી ઓછી કરવાનું પણ કામ કરે છે. તેનાથી પાચન પ્રક્રિયા ઝડપી થાય છે અને ઓછા સમયમાં વધુ કેલેરી ખર્ચ થાય છે. શરીરના ટોક્સિન બહાર કાઢવામાં પણ મદદ કરે છે.

8) જો તમને ખોડાની સમસ્યા છે તો દહીંમાં કાળી મરી મિક્સ કરીને માથા પર તેની માલિશ કરો. અડધા કલાક પછી તેને પાણીથી ધોઇ કાઢો. તેનાથી ખોડો પણ ઓછો થશે અને વાળ ચમકશે.

9) પેઢામાં સોજા આવવા અથવા તો શ્વાસની દુર્ગંધની સમસ્યા હોય તો એક ચપટી મીઠું અને એક ચપટી કાળી મરીને પાણીમાં મિશ્રણ કરીને પેઢા પર ઘસો. પાણીની જગ્યા પર લવિંગના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

10) કાળી મરીના ઉપયોગથી શરીરમાં સેરોટોનિન હોર્મોન બને છે. તે સારા મૂડ માટે જવાબદાર હોય છે. સેરોટોનિનની માત્રા વધવાથી ડિપ્રેશનમાં ફાયદો મળે છે. જેથી રોજીંદા ભોજનમાં કાળી મરીનો ઉપયોગ કરો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">