GO GREEN : કોરોનાથી સાજા થનાર દર્દીઓને છોડ આપી ઓક્સિજન અને વૃક્ષોનું મહત્વ સમજાવતું અનોખું ગ્રૂપ

લોકો પ્રકૃતિને સમજે તેનો આદર કરે અને તેનું જતન કરે તે ભાવથી સુરતના એક ગ્રૂપ દ્વારા હવે શહેરના આઇસોલેશન સેન્ટર અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા દર્દીઓને છોડ આપવાનું ભગીરથ કાર્ય શરૂ કરાયું છે.

GO GREEN : કોરોનાથી સાજા થનાર દર્દીઓને છોડ આપી ઓક્સિજન અને વૃક્ષોનું મહત્વ સમજાવતું અનોખું ગ્રૂપ
શહેરના આઇસોલેશન સેન્ટર અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા દર્દીઓને છોડ આપવાનું ભગીરથ કાર્ય શરૂ કરાયું
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 11, 2021 | 6:00 PM

GO GREEN : આપણે સૌ જાણીએ છીએ તેમ કોરોનાની મહામારીમાં ઓક્સિજનની અછતનો પ્રશ્ન કેટલો ગંભીર બન્યો હતો. પૂરતું ઓક્સિજન નહિ મળવાને કારણે દેશભરમાં અસંખ્ય દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. કોરોના વાયરસ સીધો ફેફસા પર અસર કરતો હોય શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફનો સામનો દર્દીએ કરવો પડે છે. જેથી એકવાત નક્કી છે કે આ વાયરસે લોકોને ઓક્સિજનનું મહત્વ સમજાવી દીધું છે.

ઓક્સિજનનું વ્યક્તિના જીવનમાં કેટલું મહત્વ છે તેની સમજ આજે લોકોને આવતી થઈ છે. ત્યારે લોકો પ્રકૃતિને સમજે તેનો આદર કરે અને તેનું જતન કરે તે ભાવથી સુરતના એક ગ્રૂપ દ્વારા હવે શહેરના આઇસોલેશન સેન્ટર અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા દર્દીઓને છોડ આપવાનું ભગીરથ કાર્ય શરૂ કરાયું છે.

GO GREEN: A unique group explaining the importance of oxygen and trees by giving plants to patients recovering from corona

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

સુરતના શ્રી સિયારામ ગ્રીન વર્લ્ડ ગ્રૂપ દ્વારા સુરતના આઇસોલેશન સેન્ટરો પર જઈને કોરોનાની મહામારી સામે લડીને સાજા થઈને જતા દર્દીઓને બે છોડ આપવાનું કાર્ય શરૂ કરાયું છે. આ ગ્રૂપ દ્વારા વાતાવરણમાં સૌથી વધારે ઓક્સિજન આપતા કૈલાશપતિ વૃક્ષના રોપા આપવામાં આવે છે.

અત્યારસુધી આ ગ્રુપના સભ્યો દ્વારા દરેક આઇસોલેશન સેન્ટર દીઠ 800 કરતા પણ વધારે કૈલાશપતિ વૃક્ષના રોપા આપવામાં આવ્યા છે. કોરોનાથી સાજા થઈને ડિસ્ચાર્જ થતા દર્દીઓ ઓક્સિજનનું મહત્વ સમજે અને જીવનમાં વૃક્ષો વાવીને માનવજાતને અતિઉપયોગી એવા વૃક્ષોનું જતન કરે તે ઉદ્દેશ્ય સાથે તેઓ આ કામમાં જોડાયા છે.

કૈલાશપતિ વૃક્ષના રોપા જે તેઓ ડિસ્ચાર્જ થતા દર્દીઓને આપે છે તે વાતાવરણમાં સૌથી વધારે ઓક્સિજન આપતું વૃક્ષ છે, એટલું જ નહિ તે દેખાવમાં પણ સૌથી વધારે આકર્ષક લાગે છે.

આ પણ વાંચો : Rajkot : ખુદ મોત સામે જંગ લડતા ફારૂકભાઈ, કોરોના કાળમાં આપી રહ્યા છે નિ:શુલ્ક એમ્બ્યુલન્સ સેવા

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">