અસંખ્ય બિમારીઓ સામે રક્ષણ આપશે લાજવાબ લીલા ભીંડા! જાણો સમગ્ર વિગત
દરેક ભારતીય રસોઈમાં મુખ્યત્વે જોવા મળતી શાકભાજીમાં ભીંડાનું સ્થાન અલગ છે. સ્વાદમાં લાજવાબ લીલા રંગના ભીંડાના અસંખ્ય ઔષધીય ગુણ છે. તે કેટલીક બીમારીઓ સામે રક્ષણ આપવાની સાથે શરીરને સ્વસ્થ રાખવાનું પણ કામ કરે છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે […]
દરેક ભારતીય રસોઈમાં મુખ્યત્વે જોવા મળતી શાકભાજીમાં ભીંડાનું સ્થાન અલગ છે. સ્વાદમાં લાજવાબ લીલા રંગના ભીંડાના અસંખ્ય ઔષધીય ગુણ છે. તે કેટલીક બીમારીઓ સામે રક્ષણ આપવાની સાથે શરીરને સ્વસ્થ રાખવાનું પણ કામ કરે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભીંડાને ખાતી વખતે તમે ક્યારેય તેના ઔષધીય ગુણો વિશે વિચાર કર્યો ન હોય. પણ તે પોટેશિયમ, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર અને અનસૈચ્યુરેટેડ ફેટી એસિડથી ભરપૂર છે.
1). ડાયાબિટીસની સમસ્યા સામાન્ય છે, જે લોહીમાં ગ્લુકોઝના સ્તર વધવાથી થાય છે. ભીંડાના ઉપયોગથી આ સમસ્યાને કેટલાક અંશે ઓછી કરી શકાય છે. ભીંડામાં રહેલા ફાઇબર તેના પર અંકુશ લાવી શકે છે.
2). બગડેલું પાચનતંત્ર ઘણી મુશ્કેલી ઉભી કરી શકે છે. ભીંડાથી પાચનતંત્ર સુધરે છે અને અપચાની સમસ્યા દૂર થાય છે. 3). હૃદયરોગની સમસ્યા નિવારવા માટે, કેન્સરને અટકાવવા માટે તેમજ કબજિયાતની સમસ્યા માટે પણ ભીંડા ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
4). આંખોની સારી રોશની માટે વિટામિન એ જરૂરી છે અને તે ભીંડામાં જોવા મળે છે. તેમાં બીટા કેરોટીન પણ છે જે આંખની રોશની માટે પણ જરૂરી છે. 5). વજન ઓછું કરવા, ત્વચા માટે, આંખો માટે, ગર્ભાવસ્થામાં અને બ્લડપ્રેશર નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો