Coronavirus : કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સુરતથી રાહતના સમાચાર, રિકવરી રેટ થયો 94 ટકા

કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. અને કોરોના વાયરસના પોઝિટીવ કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

Coronavirus : કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સુરતથી રાહતના સમાચાર, રિકવરી રેટ થયો 94 ટકા
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 20, 2021 | 4:43 PM

Coronavirus : કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે અને કોરોના વાયરસના પોઝિટીવ કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ આ તમામ વચ્ચે સુરતથી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં કોરોનાના કેસ ઘટાડો જોવા મળી રહ્યો છે સાથે જ રિકવરી રેટમાં વધારો જોવા મળી રહ્યો છે.

આપને જણાવી દઇએ કે  સુરતમાં કોરોના કેસ સતત ઘટી રહ્યાં છે. રિકવરી રેટમાં પણ વધારો થયો છે. છેલ્લે જાન્યુઆરીમાં રિકવરી રેટ 94 ટકા હતો. જે ચાર મહિના પછી આજે ફરીથી 94 ટકા થયો હોવાનું પાલિકાના અધિકારીઓનું કહેવું છે. કોરોનાની બીજી લહેરમાં 25 એપ્રિલે રિકવરી રેટ 77.4 ટકા થઈ ગયો હતો.

બીજી તરફ સુરત મહાનગર પાલિકાએ ખાનગી હોસ્પિટલો સાથે 50 ટકા બેડ રિઝર્વ માટે કરાર કર્યા હતા એ બંધ કરી દીધા છે. પાલિકાએ 94 હોસ્પિટલ સાથે એમઓયુ કર્યા હતા. જે ઘટાડીને પછી 34 કરી દીધા હતા અને હવે તમામ હોસ્પિટલો સાથે એમઓયુ બંધ કર્યા છે. ઉપરાંત સંજીવીની રથ 212 થી ઘટાડી 149 કર્યા છે. સેવા સંસ્થા સાથે સંકળાયેલા 11 આઈસોલેશન સેન્ટરમાંથી 7 સેન્ટર છેલ્લા 5 દિવસમાં બંધ કરી દીધા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5246 નવા કેસ નોંધાયા છે. જ્યારે કુલ 9001 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેના કારણે રિકવરી રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રિકવરી રેટ 86.78 ટકા થયો છે. ખાસ કરીને રાજયમાં હાલ એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો કુલ 92,617 એક્ટિવ કેસ છે. અલગ અલગ શહેરોામાં નોંધાયેલા  કોરોનાના કેસના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 1324 કેસ ,વડોદરમાં 541 કેસ , સુરતમાં 400 કેસ , રાજકોટમાં 307 જામનગરમાં 213 કેસ નોંધાયા છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">