Coronavirus: કોરોનાકાળમાં સુરતથી એર એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો, એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં ઘટાડો

કોરોનાના કારણે એપ્રિલ અને મે મહિનામાં જ સુરત એરપોર્ટથી સાત એર એમ્બ્યુલન્સ ઓપરેટ થઈ હતી. કોરોના પહેલા વર્ષે માત્ર એક જ એર એમ્બ્યુલન્સ ઓપરેટ થતી હતી.

Coronavirus: કોરોનાકાળમાં સુરતથી એર એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો, એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં ઘટાડો
Surat
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 25, 2021 | 4:47 PM

કોરોનાના કારણે એક તરફ સુરત એરપોર્ટ (Airport) પર મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, ત્યારે બીજી તરફ એમ્બ્યુલન્સના ઓપરેટ થવાની સંખ્યામાં છેલ્લા બે વર્ષમાં વધારો પણ નોંધાયો છે. કોરોનાના કારણે એપ્રિલ અને મે મહિનામાં જ સુરત એરપોર્ટથી સાત એર એમ્બ્યુલન્સ (Air Ambulance) ઓપરેટ થઈ હતી. કોરોના પહેલા વર્ષે માત્ર એક જ એર એમ્બ્યુલન્સ ઓપરેટ થતી હતી.

એપ્રિલ અને મે મહિનામાં જે પ્રમાણે કોરોનાના કેસો (Corona Case) વધ્યા હતા, તેના કારણે દર્દીઓને ફેફસામાં ઇન્ફેક્શનની ફરિયાદો પણ વધી હતી. જેમાં સુરતથી ચેન્નાઈ અને હૈદરાબાદ જેવા શહેરોમાં વધુ સારવાર માટે જનારા દર્દીઓની સંખ્યા પણ વધી હતી.

સુરત એરપોર્ટના ડિરેક્ટર અમન સૈનિના જણાવ્યા પ્રમાણે કોરોના પહેલા સુરત એરપોર્ટથી વર્ષમાં માત્ર એકવાર જ એર એમ્બ્યુલન્સ દ્વારા અન્ય શહેરમાં દર્દીઓને સારવાર અર્થે લઇ જવાતા હતા. જોકે કોરોનાના કારણે એપ્રિલમાં પાંચ અને મે મહિનામાં બે એમ કુલ સાત દર્દીઓને ચેન્નાઈ અને હૈદરાબાદ લઈ જવાયા હતા.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

સામાન્ય રીતે એર એમ્બ્યુલન્સથી કોઈ દર્દીને જ્યારે અન્ય શહેરમાં શિફ્ટ કરવા માટે 70 થી 80 હજારનો ખર્ચ થતો હોય છે. કોરોનાના કારણે ફેફસાંનું સંક્રમણ દૂર કરવા માટે દર્દીઓને અન્ય શહેરમાં લઇ જવાની ફરજ પડી હતી.

આ ઉપરાંત કાર્ગો ટર્મિનલથી એર ઈન્ડિયા અને સ્પાઇસ જેટ દ્વારા અન્ય શહેરોમાં દવા, સિલિન્ડર પણ મોકલવામાં આવ્યા હતા. 235 ઓક્સિજન કન્સ્ટ્રેટર અને 9 ઓક્સિજન સિલિન્ડર, કોરોનાની દવા, ઇન્જેક્શન અને વેકસિન મળીને 7723 કિલોગ્રામનું કાર્ગો મેડિકલ ઓપરેશન પણ હાથ ધરાયું હતું. આ કાર્ગો મેડિસિન સુરતથી દિલ્હી, ગોવા, હૈદરાબાદ અને બેંગલોર મોકલાયું હતું.

Latest News Updates

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">