Bardoli : શ્રાવણના પહેલા સોમવારે બારડોલીના માર્ગો પર કાવડ યાત્રીઓએ બમ બમ ભોલેના નાદથી વાતાવરણ કર્યું ભક્તિમય

હાલ ચાલી રહેલા શ્રાવણ માસના પવિત્ર દિવસને દર વર્ષે બાબેન ગામમાં નીર લેવા કાવડયાત્રીઓ આવે છે. ત્યારે છેલ્લા છ વર્ષથી મોટી માત્રામાં કાવડયાત્રીઓ જોડાય છે. આ વર્ષે 250  જેટલા કાવડયાત્રીઓ જોડાયા હતા.

Bardoli : શ્રાવણના પહેલા સોમવારે બારડોલીના માર્ગો પર કાવડ યાત્રીઓએ બમ બમ ભોલેના નાદથી વાતાવરણ કર્યું ભક્તિમય
Shravan Month Celebration (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 3:02 PM

ભગવાન શિવની (Shivji ) આરાધનાનો પર્વ એટલે શ્રાવણ માસ, આ દિવસે શિવમંદિરો (Temple ) તો શિવભક્તોની ભીડથી ઉભરાય જ જાય છે. પણ રસ્તા પર પણ શિવભક્તોનો સાગર જોવા મળતો હોય છે. ખાસ કરીને સુરત જિલ્લાના બારડોલી ગામે આવેલા અનેક એવા શિવ મંદિરોમાં ભક્તો દૂર દૂરથી કાવડ યાત્રા લઈને આ મંદિરોમાં આવે છે. અને પવિત્ર નદીઓના જળથી શિવલિંગનો જળાભિષેક કરે છે.

કેદારેશ્વર મંદિરે વર્ષોથી આવે છે કાવડયાત્રીઓ :

છેલ્લા છ વર્ષ થી વિશાળ કાવડયાત્રામાં 250  જેટલા કાવડ યાત્રીઓ બાબેન ગામ થી નીર લઈ બારડોલીના સુપ્રસિધ્ધ કેદારેશ્વર શિવજી મંદિરે પહોચી જળનો અભિષેક કરતા આવ્યા છે. જીવનો શિવ સાથે સંગમ કરાવતા પવિત્ર શ્રાવણ માસનો ગત  શુક્રવારથી પ્રારંભ થતાં શિવ ભક્તોમાં શ્રધ્ધાળુઓ ઓતપ્રોત બની શિવભક્તિમાં લીન બની શ્રાવણની શ્રદ્ધા અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે.

250 જેટલા કાવડ યાત્રીઓ જોડાયા :

હાલ ચાલી રહેલા શ્રાવણ માસના પવિત્ર દિને દર વર્ષે બાબેન ગામમાં નીર લેવા કાવડયાત્રીઓ આવે છે ત્યારે છેલ્લા છ વર્ષ થી વિશાળ કાવડયાત્રામાં 250  જેટલા  કાવડયાત્રીઓ જોડાયા હતા.કાવડયાત્રીઓ બાબેન શિવ મંદિરે સ્નાન કરી જળ લઈ રવાના થયા હતા. અને શ્રી કેદારેશ્વર મંદિર બારડોલી ખાતે પહોચી શિવજીને અભિષેક કર્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યો માર્ગ :

આ કાવડયાત્રા આજે સવારે નીકળી બારડોલી નાં કેદારેશ્વર મંદિરે પહોંચી હતી. અને જળાભિષેક દ્વારા શ્રાવણ મહિનામાં શ્રાવણના સોમવારથી જ શિવ મંદિરો ભક્તોથી ઉભરાઇ રહેશે. ત્યારે હાઇવે ના માર્ગો પર પણ કાવડ યાત્રીઓ જોવા મળે છે. આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સુરત જિલ્લા નાં બારડોલી નગરના માર્ગો પર વિશાળ 250  જેટલા એક સાથે કાવડયાત્રીઓ હર હર મહાદેવ બમ બમ બોલે નાંદથી આખો માર્ગ ગુંજી ઉઠ્યો હતો. આમ આ આખો મહિનો અને ખાસ કરીને શ્રાવણના દર સોમવારે શિવ ભક્તો અને કાવડ યાત્રીઓની આ જ પ્રકારે ભીડ જોવા મળશે.

Input Credit Jignesh Mehta (Bardoli )

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">