Surat: આજથી હીરા બજારમાં 20 ટકા અને કાપડ માર્કેટની 80 ટકા દુકાનો શરૂ

આ વર્ષ કોરોનાની લહેર ઓસર્યા બાદ સુરતના હીરા અને કાપડ બંને બજારો માટે સારું અને લાભદાયી સાબિત થયું છે. જો કોરોનાની ત્રીજી લહેર દસ્તક ન દે તો શહેરના પાયાના ગણાતા આ બે ઉધોગો ફરી પૂર્વવત સ્થિતિમાં ધમધમતા થઇ જશે. 

Surat: આજથી હીરા બજારમાં 20 ટકા અને કાપડ માર્કેટની 80 ટકા દુકાનો શરૂ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 11:14 PM

શહેરના કાપડ (Textile) અને હીરા (Diamond) ઉદ્યોગમાં દિવાળી વેકેશન પૂર્ણ થવાના આરે છે. આજથી શહેરના હીરા બજારમાં 20 ટકા યુનિટ અને કાપડ માર્કેટની 80 ટકા દુકાનો કાર્યરત થઈ ગઈ છે. લગ્નસરાની સિઝનને કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સારી માંગને કારણે સપ્તાહ દરમિયાન બંને બજારોમાં ઉત્પાદનમાં તેજી આવી શકે છે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ પહેલા દિવાળીની ત્રણ કે પાંચ દિવસની રજા બાદ લાભપાંચમના દિવસે મૂહુર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે માત્ર ગણતરીની દુકાનો જ ખુલી શકી હતી. પરંતુ હવે ડિમાન્ડને જોતા એક પછી એક માર્કેટો ખુલવા લાગી છે. માર્કેટમાં વતન ગયેલા કારીગરો પણ હવે ધીરે ધીરે પરત ફરી રહ્યા છે તેમ તેમ વધારે દુકાનો અને માર્કેટો ખુલી રહી છે.

આ વખતે કાપડ બજારમાં દિવાળી પહેલા 16 હજાર કરોડથી વધુનો કારોબાર થવાનો વેપારી સંગઠનોએ દાવો કર્યો છે. વેપારી સંગઠનોએ દિવાળીની પાંચ દિવસની રજા રાખીને 10 નવેમ્બરથી બજાર ચલાવવાનું નક્કી કર્યું હતું. જો કે સારા ધંધાની સાથે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી શહેરની બહાર ન જઈ શકતા વેપારીઓ વેકેશન માટે બહાર ગયા હતા. બીજી તરફ મજૂરો પણ મોટાપાયે વતન ગયા હતા.

જેના કારણે ગત સપ્તાહ દરમિયાન 50 ટકા યુનિટ મિલો તેમજ વિવિંગ યુનિટ અને કાપડ બજારની દુકાન માત્ર 50 ટકા જ કાર્યરત થઈ શકી હતી. આજથી શહેરના કાપડ ઉદ્યોગને લગતા વિવિધ ક્ષેત્રોમાં 80 ટકા કામગીરી શરૂ થઈ ગઈ છે. જેમ અને જ્વેલરી ઉદ્યોગની વાત કરીએ તો GJEPCએ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓક્ટોબર સુધીમાં 19 હજાર કરોડ વધુની નિકાસનો અહેવાલ જાહેર કર્યો છે. આ વખતે હીરા ઉદ્યોગમાં પણ 21 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં સોમવારથી હીરાના અનેક યુનિટ શરૂ થઈ ગયા હતા.

ઉદ્યોગ સાહસિકોના જણાવ્યા અનુસાર લગ્નની સિઝનને કારણે એકમોને સારા ઓર્ડર છે, જેના કારણે 20 ટકા હીરા શરૂ થઈ ગયા છે અને અન્ય 21 નવેમ્બર પછી કાર્યરત થશે. આમ, આ વર્ષ કોરોનાની લહેર ઓસર્યા બાદ સુરતના હીરા અને કાપડ બંને બજારો માટે સારું અને લાભદાયી સાબિત થયું છે. જો કોરોનાની ત્રીજી લહેર દસ્તક ન દે તો શહેરના પાયાના ગણાતા આ બે ઉદ્યોગો ફરી પૂર્વવત સ્થિતિમાં ધમધમતા થઈ જશે.

આ પણ વાંચો : Surat: મેયર સાંભળો છો? વેસુના લાભાર્થીઓ હજી સપનાના ઘર માટે સપના જ જોઈ રહ્યા છે

આ પણ વાંચો : Surat : સુરત એરપોર્ટ પર હવે દૈનિક 58 ફ્લાઇટ્સનું આવાગમન, દૈનિક મુસાફરોની સંખ્યા 3 હજારને પાર

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">