સુરત માટે રાહતના સમાચાર, ઉકાઈ જળાશયમાં પાણીની આવક ઘટી
સુરત વાસીઓ માટે રાહતના સમાચાર છે કે, ઉકાઈ જળાશયમાં પાણીની આવક ઘટી છે. ઉકાઈ જળાશયની 345 ફુટની સપાટી સામે હાલ પાણીની સપાટી 334.09 ફુટે પહોચી છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે, 83,233 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 10 દરવાજા ખોલીને 97,651 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે […]
સુરત વાસીઓ માટે રાહતના સમાચાર છે કે, ઉકાઈ જળાશયમાં પાણીની આવક ઘટી છે. ઉકાઈ જળાશયની 345 ફુટની સપાટી સામે હાલ પાણીની સપાટી 334.09 ફુટે પહોચી છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે, 83,233 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 10 દરવાજા ખોલીને 97,651 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે, ઉકાઈ ડેમમાં પાણીની ભારે આવક થતા એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતુ હતુ. જો કે હવે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા સુરતવાસીઓ માટે હાલ રાહત થઈ છે.
આ પણ વાંચોઃભારે વરસાદથી ગીરસોમનાથની શિંગોડા નદીમાં ઘોડાપૂર, નીચાળવાળા વિસ્તારને કરાયા એલર્ટ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો