સુરતમાં આગની ઘટનાને લઈને પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ, ન્યાય મળશે તેવી આપી ખાતરી
સુરતમાં બનેલી આગની ઘટનાને લઈને પોલીસતંત્રની સાથે ક્રાઈમબ્રાંચે પણ તપાસમાં પોતાની ટીમને કામે લગાડી છે. પોલીસે ટ્યુશન ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાનીની ધરપકડ કરી છે સાથે કુલ ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બિલ્ડર જિજ્ઞેશ, હર્ષલ વેકરીયા અને ટ્યુશન સંચાલક ભાર્ગવ બુટાની સામે ગુનો દાખલ કરાયો છે. આ ત્રણેય સામે લોકોના જીવ જોખમમાં મુકવા […]
સુરતમાં બનેલી આગની ઘટનાને લઈને પોલીસતંત્રની સાથે ક્રાઈમબ્રાંચે પણ તપાસમાં પોતાની ટીમને કામે લગાડી છે. પોલીસે ટ્યુશન ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાનીની ધરપકડ કરી છે સાથે કુલ ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બિલ્ડર જિજ્ઞેશ, હર્ષલ વેકરીયા અને ટ્યુશન સંચાલક ભાર્ગવ બુટાની સામે ગુનો દાખલ કરાયો છે. આ ત્રણેય સામે લોકોના જીવ જોખમમાં મુકવા બાબતે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે.
સુરતના પોલીસ કમિશનરે સમગ્ર મામલે ભોગ બનનાર પરિવારને ન્યાય મળશે તેવી ખાતરી આપી છે, સાથે જ કોઈ પણ દોષિતને છોડાશે નહીં તેમ જણાવ્યું હતું. આ સમગ્ર કેસની સુરત ક્રાઈમબ્રાંચને તપાસ સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: TV9ના સવાલથી ભાગ્યા અધિકારી, દેશ માગે જવાબ, અધિકારી કેમ મૌન?