SURAT : જાહેર માર્ગ પરના વૃક્ષોના થડ પર મનોરમ્ય ચિત્ર દોરાયા, જાણો શું છે કારણ
SURAT : વૃક્ષના થડ પર ચિત્રો દોરવામાં આવ્યા છે એમાં કોઈ પણ જાતના રસાયણિક કલરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો.
SURAT : જાહેર માર્ગ પરના વૃક્ષોના થડ પર મનોરમ્ય ચિત્ર દોરવામાં આવ્યા છે. વૃક્ષના થડ પર પર દોરવામાં આવેલા આ ચિત્રોને જોઇને સૌ કોઈની આંખો સ્થિર થઇ જાય છે. આ સુંદર ચિત્રોથી વૃક્ષોને એવી રીતે સજાવવામાં આવ્યા છે કે રસ્તે નીકળતા સૌ કોઈ એક નજરે જોતા રહી જાય છે.
વૃક્ષોના થડ પર ચિત્રો દોરનારા ચિત્રકારો મનુ લુથરા ચિત્રકાર પાસેથી ચિત્રકલા શીખ્યા છે. વૃક્ષના થડ પર ચિત્રો દોરવામાં આવ્યા છે એમાં કોઈ પણ જાતના રસાયણિક કલરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, પણ સમ્પૂર્ણ કુદરતી એટલે કે ઇકો-ફ્રેન્ડલી કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સુરતના કતારગામના ભાજપ ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતાના ટ્વિર હેન્ડલ દ્વારા આ ચિત્ર અભિયાનના થોડા ફોટો શેર કરીને પર્યાવરણ મિત્રો એવા ચિત્રકારોની પ્રસંશા કરી છે. હર્ષ સંઘવીએ લખ્યું છે, એક સારા સંદેશ સાથે સુરતના વૃક્ષોને સુશોભિત કરવામાં આવ્યા છે.
Beautifying Surat with a great Message!
Saluting the spirit of all the artists assisted and trained by Mannu Luthra they beautify the trees with eco-friendly colours.
Being a passionate conserver of trees, Mannu decided to carry on with this great art. pic.twitter.com/Ysh58RFTXH
— Harsh Sanghavi (@sanghaviharsh) February 8, 2021