Surat : સુરતની છઠ્ઠા ભાગની વસ્તીને ચાલે તેટલું પાણી ગણેશ વિસર્જન માટે વપરાઈ ગયું

મનપા દ્વારા અલગ અલગ સાત ઝોનમાં બનાવવામાં આવેલા 19 કૃત્રિમ તળાવોમાં 200 લાખ લીટર પાણી ભરીને વિસર્જન કરાયું હોય સુરતની છઠ્ઠા ભાગની વસ્તીને એક દિવસ ચાલે તેટલું પાણી વિસર્જનમાં વાપરવામાં આવ્યું હતું.

Surat : સુરતની છઠ્ઠા ભાગની વસ્તીને ચાલે તેટલું પાણી ગણેશ વિસર્જન માટે વપરાઈ ગયું
Surat: One-sixth of Surat's population used enough water to discharge Ganesha
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 12:42 PM

રવિવારે શાંતિપૂર્ણ રીતે શહેરમાં વિસર્જન પ્રક્રિયા(Ganesh Visarjan ) પૂર્ણ થઇ હતી. શહેરીજનોની સમજણને કારણે કોરોનાની(Corona ) ગાઈડલાઇનનું યોગ્ય રીતે પાલન કરીને આ વર્ષે વિસર્જન પ્રક્રિયા પાર પડી

સુરતમાં ઉત્સાહ ભેર કૃત્રિમ તળાવોમાં પણ ગણેશજીની પ્રતિમાઓ વિસર્જિત થઇ હતી. છેલ્લા 3 વર્ષથી સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદીમાં વિસર્જન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે આ વખતે પણ મનપા દ્વારા ગણેશ વિસર્જન માટે 19 જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા. જેથી પર્યાવરણ ને કોઈ નુકશાન ન થાય.

મનપા દ્વારા અલગ અલગ સાત ઝોનમાં બનાવવામાં આવેલા 19 કૃત્રિમ તળાવોમાં 200 લાખ લીટર પાણી ભરીને વિસર્જન કરાયું હોય સુરતની છઠ્ઠા ભાગની વસ્તીને એક દિવસ ચાલે તેટલું પાણી વિસર્જનમાં વાપરવામાં આવ્યું હતું. શહેરની વસ્તી અંદાજે 60 લાખથી વધુની છે. તેમજ સરેરાશ રોજના 200 લીટર પાણીનો વપરાશ પ્રતિ વ્યક્તિ દીધી ગણીએ તો પણ કુલ 10 લાખ લોકોને એક દિવસ ચાલે તેટલું પાણી વિસર્જનમાં વાપરવામાં આવ્યું છે.

રાત્રે 9 વાગ્યે વિસર્જન પ્રક્રિયા સંપન્ન થઇ હતી. વહેલી સ્વાર્થી જ રાઉન્ડ ધ ક્લોક ફરતા રહેનારા મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે વિસર્જન સમયસર અને શાંતિથી સંપન્ન થયું છે તે માટે સુરતવાસીઓની જાગૃતિ અભિનંદનને પાત્ર છે. મોટા ભાગે ગાઈડલાઇનના પાલન સાથે સુરતવાસીઓએ વિસર્જન યાત્રા કાઢી છે અને આ વર્ષે ઘરઆંગણે વિસર્જનનું પ્રમાણ પણ મોટું રહ્યું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તાપી નદીમાં વિસર્જન નહીં કરીને કૃત્રિમ તળાવ બનાવવાથી પર્યાવરણને પણ એક મોટો ફાયદો થયો છે. જોકે આ વર્ષે તો ભક્તોએ કૃત્રિમ તળાવમાં પણ વિસર્જન નહીં કરીને ઘર આંગણે જ ગણેશજીનું વિસર્જન ઇકો ફ્રેન્ડલી રીતે કરતા તે પણ એક મોટી જાગૃતિ અને પર્યાવરણ માટે મોટું યોગદાન ગણી શકાય છે.

આ વર્ષે એક પણ સ્થળે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બનતા પોલીસને પણ મોટી રાહત થઇ છે. વ્યવસ્થામાં 9 હજાર કરતા પણ વધુનો પોલીસ સ્ટાફ જોતરાયો હતો. અને કાયદો વ્યવસ્થાનું ધ્યાન રાખ્યું હતું.

આ પણ વાંચો :

Surat : સુરતમાં આગામી ફેબ્રુઆરી 2022માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે

Surat : સુરતના આ વ્યક્તિ પાસે છે 50 હજાર થી પણ વધુ ઐતિહાસિક ચલણ નો સંગ્રહ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">