Surat: સુરતીઓ માટે રાહતના સમાચાર, કોરોનાનાં કેસોમાં ઘટાડો થતા યુનિવર્સીટી કોવિડ સેન્ટર બંધ કરાયુ

Surat: સુરત શહેરમાં પાછલા કેટલાક દિવસોથી શહેરમાં કહેર વર્તાવનાર કોરોના હવે રાહત લેતો દેખાઈ રહ્યો છે. કોરોનાના કેસમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી ઘટાડો નોંધાયો છે. જેનું ઉદાહરણ છે સુરત મહાનગરપાલિકા દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ કરવામાં આવેલ સમરસ કોવિડ કેર સેન્ટર.

Surat: સુરતીઓ માટે રાહતના સમાચાર, કોરોનાનાં કેસોમાં ઘટાડો થતા યુનિવર્સીટી કોવિડ સેન્ટર બંધ કરાયુ
સુરત
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: May 08, 2021 | 11:08 AM

Surat: સુરત શહેરમાં પાછલા કેટલાક દિવસોથી શહેરમાં કહેર વર્તાવનાર કોરોના હવે રાહત લેતો દેખાઈ રહ્યો છે. કોરોનાના કેસમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી ઘટાડો નોંધાયો છે. જેનું ઉદાહરણ છે સુરત મહાનગરપાલિકા દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ કરવામાં આવેલ સમરસ કોવિડ કેર સેન્ટર.

સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ આ સમરસ કોવિડ કેર સેન્ટર હાલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અહીં રહેલા છેલ્લા પાંચ દર્દીઓને હજીરા સ્થિત કોવિડ સેન્ટરમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

આંકડાની વાત કરીએ તો છેલ્લા 12 દિવસમાં કેસોની સંખ્યામાં અડધા જેટલો ઘટાડો થઇ ગયો છે. 24 એપ્રિલે સુરતમાં 2321 કેસ નોંધાયા હતા તેની સામે હવે 1000 જેટલા કેસ નોંધાઇ રહ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાહતની વાત એ પણ છે કે ઓક્સિજનનો વપરાશ 220 મેટ્રિક ટનથી ઘટીને 150 મેટ્રિક ટન થયો છે. 108 એમ્બ્યુલન્સના દૈનિક કોલ 339 થી ઘટીને 80 થયા છે. 104 એમ્બ્યુલન્સના દૈનિક કોલ 260 થી ઘટીને 60 થયા છે. જ્યારે ધન્વંતરિ રથના દૈનિક કોલ 32 હજારથી ઘટીને 11 હજાર થયા છે.

સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકે જણાવ્યું છે કે સમરસ કોવિડ કેર સેન્ટર સારવાર કરનાર દર્દીઓની સંખ્યા ઘટયા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો હતો.આ નિર્ણયને કારણે આ સેન્ટરમાં ઉપલબ્ધ ઓક્સિજન તેમજ મેનપાવરનો અન્ય જગ્યા પર ઉપયોગ કરવામાં આવે છે.

આ કોવિડ સેન્ટરમાં પહેલા 250 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જેમાં લગભગ 30 બેડ પર ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ હતી.

અંદાજો એ વાતથી પણ લગાવી શકાય છે કે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ફરતી 108 એમ્બ્યુલન્સનો અવાજ પણ પહેલાં કરતા ઓછો થયો છે. અને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવેલા દર્દીઓની સંખ્યા પણ ઘટી ગઈ છે.

ખાનગી હોસ્પિટલ દર્દીઓનો સંખ્યા ઓછી થઈ છે. અને હોટલો અને ખાનગી ક્લબમાં શરૂ કરવામાં આવેલ સેન્ટર પણ બંધ કરવામાં આવ્યા છે.

શહેરમાં સુધરતી હાલત વચ્ચે નાગરિકોની પણ ફરજ છે કે તેઓ પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે. જોકે સ્થિતિ ભલે સુધરી હોય પણ સંપૂર્ણ કંટ્રોલમાં આવવા માટે હજી દોઢ મહિનો સાવચેતી રાખવાની જરૂર છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">