Surat : મેયરે સરથાણા નેચર પાર્કની મુલાકાત લીધી, ઈ-વેન શરૂ કરવા અને મુલાકાતીઓની વિઝીટ રસપ્રદ બનાવવા કર્યા સૂચન

દિવાળીની રજાઓમાં જયારે લોકો નેચર પાર્કની સૌથી વધારે મુલાકાત લે છે ત્યારે યોગ્ય સુવિધા અને પ્રાણીઓની સંભાળ તેમજ લોકોની મુલાકાતને વધુ રસપ્રદ બનાવવા અને ઈ વાહનને ફરી શરૂ કરવા માટે પણ તેમણે સૂચનો કર્યા હતા.

Surat : મેયરે સરથાણા નેચર પાર્કની મુલાકાત લીધી, ઈ-વેન શરૂ કરવા અને મુલાકાતીઓની વિઝીટ રસપ્રદ બનાવવા કર્યા સૂચન
Surat - Mayor Zoo Visit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 10:28 PM

તાજેતરમાં જ મેયર (Mayor) હેમાલી બોઘાવાલાએ સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચરપાર્કની (Sarthana Nature Park) મુલાકાત લીધી હતી. નેચર પાર્કની વ્યવસ્થા અને કામગીરી માટે તેઓએ ઝૂ સુપ્રિટેન્ડન્ટ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ અંગે મીરે જણાવ્યું હતું કે ખાસ કરીને 81 એકરમાં ફેલાયેલ આ વિશાળ ઝૂમાં (Zoo) ફરવા આવતા લોકોને વધારે ચાલવું ન પડે તે માટે સુરત મનપા દ્વારા થોડા સમય પહેલા જ બેટરી ઓપરેટેડ વેન જવું વાહન મુકવામાં આવ્યું હતું. 

આ વાહન થોડા સમય માટે મુલાકાતીઓ માટે ચલાવવામાં આવ્યું હતું. પરંતુ તે પછી તેનો કોઈ ઉપયોગ નહીં કરાતા તે ધૂળ ખાઈ રહ્યું હતું. મેયરે જયારે સરથાણા નેચર પાર્કની વિઝીટ કરી ત્યારે પણ આ વાહન ધૂળ ખાતું નજરે ચડતા મેયરે ખુલાસો પૂછીને આ ઈ-વ્હીકલ વાહન તાકીદે શરૂ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. આ વાહન ફરીથી ચાલુ કરીને મુલાકાતીઓ માટેની સગવડ માટે કાર્યરત કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા હતા.

આ વાહનના ઓપરેશન મેઇન્ટેનન્સ માટે કોઈ ટેન્ડર ઓફર નહીં મળી હોવાનું ઝૂના અધિકારીઓએ મેયરને જણાવ્યું હતું. તેના જવાબમાં મેયરે કહ્યું હતું કે ફરીથી પ્રયત્નો કરો અને નીતિ નિયમોમાં છૂટછાટ સાથે પણ એજન્સી શોધવાના પ્રયાસ કરો. લોકો માટેની સગવડ ફરી શરૂ થાય અને ખાસ કરીને જે ઉંમર લાયક મુલાકાતીઓ હોય છે અથવા નાના બાળકો છે, તેમને આવા વાહનોથી ખુબ ફાયદો થઇ શકે તેમ છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે પ્રાણી સંગ્રહાલયના ભોજનની વ્યવસ્થા, ફૂડ ડિસ્ટ્રીબ્યુશન સહિતની આખી પ્રક્રિયા પણ તેમણે જાણી હતી. નેચર પાર્કમાં એક વાઘનું બચ્ચું અસ્વસ્થ છે, જેથી તેના સારવાર માટે લેવામાં આવતી તકેદારી સહિતના મુદ્દે પણ ઝૂ ઓથોરિટી સાથે ચર્ચા કરવામાં આવી છે. દિવાળીની રજાઓમાં જયારે લોકો નેચર પાર્કની સૌથી વધારે મુલાકાત લે છે ત્યારે યોગ્ય સુવિધા અને પ્રાણીઓની સંભાળ તેમજ લોકોની મુલાકાતને વધુ રસપ્રદ બનાવવા અને ઈ વાહનને ફરી શરૂ કરવા માટે પણ તેમણે સૂચનો કર્યા હતા.

આ પણ વાંચો : વકીલે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક નિયમના ભંગ બદલ PSIને સ્થળ પર જ ભરાવ્યો દંડ

આ પણ વાંચો : SURAT : નશાના કાળા કારોબારનો પર્દાફાશ, પોલીસે 1 કિલો અફીણ, 9 કિલો ગાંજા સાથે ત્રણને ઝડપી પાડ્યા

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">