સુરતમાં કોરોનાનું વધતું સંક્રમણ ચિંતાનો વિષય, સૌથી વધુ કેસ અઠવા ઝોનમાં, સૌથી ઓછા કેસ ઉધના ઝોનમાં
સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 2500 કરતાં પણ વધુ કેસ કોરોનાના નોંધાયા છે. ગુરુવારે શહેરમાં 231 અને જિલ્લામાં 58 કેસ સાથે શહેર-જિલ્લામાં 289 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જ શહેર જિલ્લામાં પોઝિટિવ કેસ સંખ્યા 42 હજાર 528 થઈ ગઈ છે. શહેરમાં વધુ ત્રણ પોઝિટિવ દર્દીના મોત નિપજતાં કુલ મૃત્યુઆંક 1050 થઈ ગયો […]
સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 2500 કરતાં પણ વધુ કેસ કોરોનાના નોંધાયા છે. ગુરુવારે શહેરમાં 231 અને જિલ્લામાં 58 કેસ સાથે શહેર-જિલ્લામાં 289 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જ શહેર જિલ્લામાં પોઝિટિવ કેસ સંખ્યા 42 હજાર 528 થઈ ગઈ છે. શહેરમાં વધુ ત્રણ પોઝિટિવ દર્દીના મોત નિપજતાં કુલ મૃત્યુઆંક 1050 થઈ ગયો છે. સૌથી વધુ કેસ અઠવા ઝોનમાંથી જ્યારે સૌથી ઓછા કેસો ઉધના ઝોનમાંથી સામે આવ્યા છે. સુરતમાં રિકવરી રેટ 93.74 નોંધાયો છે.
સુરતના અઠવા અને રાંદેર ઝોન વિસ્તારમાં કોરોનાના કેસો વધતા તંત્ર ચિંતિત બન્યું છે. જેના અનુસંધાને અડાજણ સ્થિત પાલિકાના આર્ટ પર્ફોમિંગ સેન્ટરના ઓપન એરમાં પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં સોસાયટીઓના પ્રમુખો સાથે મહત્વની મિટિંગ મળી હતી. જેમાં 150 જેટલી સોસાયટીઓના પ્રમુખો હાજર રહ્યા હતા. સોસાયટીના પ્રમુખો જાતે જવાબદારી સ્વીકારી કોરોનાનું સંક્રમણ ઘટાડવામાં સહયોગી બને તેવી અપીલ પણ કરાઈ હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો