Surat : મહાનગરપાલિકાની ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર JCB નું ટાયર ફાટતા પાલિકાના કર્મચારીનું મોત
સુરત(Surat) મહાનગર પાલિકાના ખજોદ ડિસ્પોઝબલ સાઈડ પર એક જે.સી.બી.મશીનનું ટાયર પંચર થયું હતું તેનું કામ શૈલેષ સોનાવાડિયા કરતો હતો ત્યારે અચાનક ટાયર ફાટી જતા તેને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
સુરત (Surat) મહાનગરપાલિકાની ખજોદ ડિસ્પોઝલ સાઇટ (Khajod disposal site) પર JCB મશીનનું ટાયર ફાટી જતા પાલિકા કર્મચારીનું મોત(Death) થયું હતું. આ મોત બાદ મૃતકના પરિવારજનોએ કલ્પાંત કરતાં સમગ્ર ઘટના માટે પાલિકાના અધિકારીઓને જવાબદાર ગણાવ્યા હતા. જેમાં પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ત્રણ વર્ષથી સફાઈ કામદાર તરીકે નિયુક્ત થયો હતો તેની પાસે પંચરનું કામ કરાવતા હતા તેના કારણે આજે અકસ્માત થતા તેનું મોત થયું છે. મૃતકના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા અને તે પાલિકામાં 2017માં જ કાયમી ભરતી થયો હતો.
સુરત મહાનગર પાલિકાના ખજોદ ડિસ્પોઝબલ સાઈડ પર એક જે.સી.બી.મશીનનું ટાયર પંચર થયું હતું તેનું કામ શૈલેષ સોનાવાડિયા કરતો હતો ત્યારે અચાનક ટાયર ફાટી જતા તેને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જે.સી.બીના ટાયમાં પંકચરનું કામ કરતા કર્મચારી સફાઈ કામદાર તરીકે 2017માં ભરતી થયો હતો. તેનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનો એ કલ્પાંત કરતાં તેમના પરિવારના દીકરા ના મોત માટે પાલિકાના અધિકારી જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો.
જેમાં પરિવારજનોનો આક્ષેપ એવો હતો કે, શૈલેષ ની ભરતી સફાઈ કામદાર તરીકે થઈ હતી પરંતુ તેની પાસે પિક્ચર ઉપરાંત અન્ય કામો કરાવવામાં આવતા હતા. તેમાં આજે ટાયર ફાટી જતાં તેનું મોત થયું છે તેના માટે પાલિકાના અધિકારીઓ જ જવાબદાર છે.ટાયર ફાટી જતા જીવ ગુમાવનાર શૈલેષ સોનાવાડિયના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા અને ગત એપ્રિલ માસની 13 તારીખે તેના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પરિવારનો દીકરો ગુમાવી દેતા પરિવારજનોએ હોસ્પિટલ બહાર કલ્પાંત કરી જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માગ કરી હતી.
Surat: મહાનગરપાલિકા સંચાલિત સુમન સ્કૂલોમાં વર્ગ વધતા શિક્ષકોની અછત
સુરત મનપામાં મજબુત વિપક્ષ તરીકે સ્થાપિત થયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ આપની દિલ્હી સરકારના મોડેલને આગળ કરી ભાજપ શાસકોને ઘેરી રહ્યા છે. ખાસ કરીને દિલ્હીમાં પ્રજા માટે વિનામુલ્ય શ્રેષ્ઠ સ્કૂલોનો દાવો કરવામાં આવે છે, ત્યારે સુરત મનપાના ભાજપ શાસકોએ પણ હવે શહેરમાં મનપા સંચાલિત સુમન હાઈસ્કૂલની સંખ્યા અને જુની સ્કૂલોમાં વર્ગ વધારી શિક્ષણ સુવિધા પર ભાર મુકવાની ફરજ પડી રહી છે.