સુરત : નોનવેજ લારીઓ હટાવવા મુદ્દે SMCનો મહત્વપૂર્ણ નિર્ણય , જાણો શું છે આ નિર્ણય

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે નોનવેજ, ઈંડા કે વેજની લારીઓ બાબતે કોઈ વિવાદ જ નથી. પ્રશ્ન દબાણનો જ છે. જો રસ્તાને કે ટ્રાફિકને નડતરરૂપ લારીઓ હશે તો તેને ચોક્કસથી દૂર કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 12:33 PM

અમદાવાદ,રાજકોટ અને વડોદરામાં ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવા બાબતે વિવાદ ચાલી રહ્યો છે, ત્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા ઈંડા અને નોનવેજની દૂર કરવા માટે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં નહિ આવ્યો હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવી તે બાબતે પાલિકા દ્વારા હજુ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. પરંતુ જો ટ્રાફિક સમસ્યા ઊભી થતી હશે અને રાહદારીઓને નડતરરૂપ થતી હશે તેવી લારીઓ ચોક્કસથી દુર કરવામાં આવશે.

રસ્તાઓ પર લારીઓ પર દબાણના કારણે રાહદારીઓ અને ભારે મુશ્કેલી સર્જાય છે. અથવા તો તેના કારણે રસ્તો બંધ થતો હશે તો તે ચલાવી લેવામાં આવશે નહીં. નોંધનીય છે કે રાજકોટ, વડોદરા અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા પર લારીઓ ઊભી રાખવા સામે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે નોનવેજ, ઈંડા કે વેજની લારીઓ બાબતે કોઈ વિવાદ જ નથી. પ્રશ્ન દબાણનો જ છે. જો રસ્તાને કે ટ્રાફિકને નડતરરૂપ લારીઓ હશે તો તેને ચોક્કસથી દૂર કરવામાં આવશે.

આ કામગીરી પાલિકા દ્વારા રોજેરોજ કરવામાં આવે જ છે. જોકે વિવાદથી બચવા હવે કોર્પોરેશન આ અંગે કોઈ ફોડ પાડવા તૈયાર નથી થઈ રહી. જોકે સુરત માં ઈંડા કે નોનવેજની લારી પર પ્રતિબંધ મુકાશે કે નહીં તે અંગે અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે.

અન્ય મહાનગરપાલિકાની જેમ સુરતમાં પણ જો પ્રતિબંધ મુકાય તો શું થાય તેને લઈને સોશિયલ મીડિયામાં મેસેજ ફરી રહ્યા છે. એક યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે કે જો સુરતમાં પ્રતિબંધ આવે તો પછી આવનારી ચૂંટણીમાં તેના પરિણામ પર અસર થશે. અન્ય એક યુઝર લખે છે કે જો સુરતમાં ઈંડા-નોનવેજ પર પ્રતિબંધ આવે તો સુરતીઓ ગોટાળાના અસ્તિત્વ માટે લડાઈ ચાલુ કરી દેશે.

Follow Us:
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">