Surat : 7 મહિનામાં કાપડ માર્કેટના વેપારીઓ સાથે રૂ.1200 કરોડથી વધુની ઠગાઈ, વેપારીઓમાં રોષની લાગણી
કાપડ માર્કેટમાં ઘણા સારા એજન્ટોની એજન્સીઓ છે. જેમાંથી છુટા થઈને નવા નવા એજન્ટો પોતાની એજન્સીઓ શરૂ કરે છે. જે વેપારીને સારા વેપારની આશાએ વેપાર તો અપાવે છે.
કોરોનાના(Corona ) કેસો ઓછા થવાની સાથે જ સામી દિવાળીએ(Diwali ) વેપારમાં તેજી જોવા મળી રહી છે. તો બીજી તરફ છેલ્લા સાત મહિનામાં કાપડ માર્કેટમાંથી વેપારી સંગઠનોની 40 મિટિંગમાં રૂ. 1200 કરોડથી વધુની ઠગાઈની ફરિયાદો નોંધાઈ છે. શહેરમાં 165 થી પણ વધુ માર્કેટમાં 75 હજાર કરતા વધુ કાપડ વેપારીઓ વેપાર કરે છે. જેઓ ફેડરેશન ઓફ ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન, વેપાર પ્રગતિ સંઘ, સાઉથ ગુજરાત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન, જેવી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે.
કોરોનાના કારણે કાપડ માર્કેટમાં રૂપિયાની ખેંચતાણ વધી છે. સુરત મર્કન્ટાઈલ એસોસિયેશન દ્વારા છેલ્લા સાત મહિનામાં દર રવિવારે વેપારીઓ સાથે કરવામાં આવી રહેલી મીટીંગનો આંક 40 ને પાર થયો છે. 40 રવિવારની મિટિંગમાં કિલ 5668 પેમેન્ટ ફસાયા ની અરજીઓ આવી છે. જેમાં 1200 કરોડથી વધારાનું પેમેન્ટ ફસાયું હોવાની ઘટના સામે આવી છે. 95 ટકા બનાવતી કાપડ એજન્ટો કે બ્રોકરોના કારણે વેપારીઓનું પેમેન્ટ ફસાયું હોવાનું સામે આવ્યું છે.
મૂળ પેઢીથી અલગ થયેલા એજન્ટ નુક્શાનરુપ કાપડ માર્કેટમાં ઘણા સારા એજન્ટોની એજન્સીઓ છે. જેમાંથી છુટા થઈને નવા નવા એજન્ટો પોતાની એજન્સીઓ શરૂ કરે છે. જે વેપારીને સારા વેપારની આશાએ વેપાર તો અપાવે છે. પરંતુ જયારે પેમેન્ટ ફસાય છે, ત્યારે તેઓ નિરાકરણ લાવી શકતા નથી.
મિલ માલિકોને જોબ ચાર્જ અંગે વિનંતી કરવામાં આવશે વેપાર પ્રગતિ સંઘના સીએ સંજય જગનની જણાવે છે કે મિલોમાં જે ચાર્જ નક્કી કરીને માલ ઇન્વર્ડ કરાવ્યો હોય તે જ ચાર્જ લઈને ડિલિવરી આપવામાં આવશે. જોબ કરતા પહેલા વેપારીઓ સાથે ચર્ચા કરીને જોબચાર્જ નક્કી કરી લેવામાં આવશે, અને નક્કી કરેલા દિવસોમાં જ ડિલિવરી આપવા વિનંતી પત્ર આપવામાં આવશે.
માલની ડિલિવરી વખતનો ભાવ વસુલ કરાશે પ્રોસેસિંગ મિલન રો મટિરિયલ્સના ભાવમાં સતત વધારો થવાને લીધે રોજેરોજ નવા ભાવ આવી રહ્યા છે. તેના કારણે કાપડ માર્કેટના વેપારીઓએ પણ વેપાર કરવા માટે નવા ધારાધોરણ શરૂ કર્યા છે. તેમાં પણ માલ ખરીદનાર વેપારી જે સમયે બુકીંગ કરાવે ત્યારનો નહીં પણ ડિલિવરી લે તે સમયનો ભાવ વસુલ કરશે તેવી શરતો સાથે જ હવે માલનું બુકીંગ કરાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Surat : મનપાના 8 હજારથી વધુ આવાસો સામે 23 હજારથી વધારે લાભાર્થીઓએ ભર્યા ફોર્મ, ડ્રો મારફતે થશે મકાનોની ફાળવણી