Surat : શ્વાનને કોથળામાં પેક કરીને કચરાપેટીમાં ફેંકી દેવાયું, સામાજિક કાર્યકરોએ જીવ બચાવ્યો

સુરતના(Surat) સામાજિક કાર્યકરના જણાવ્યા પ્રમાણે નિષ્ઠુર લોકો કોથળામાં કુતરાંને નાંખીને દોરીથી પેક કરીને કોથળો કચરાપેટીમાં નાંખી ગયાં હતાં. કોથળો દોરીથી બાંધી દીધો હોવાથી જો પાંચ મિનિટ પણ મોડું થયું હોત તો માસુમ બચ્ચું શ્વાસ રૂંધાવાને કારણે મરી જ ગયું હોત

Surat : શ્વાનને કોથળામાં પેક કરીને કચરાપેટીમાં ફેંકી દેવાયું, સામાજિક કાર્યકરોએ જીવ બચાવ્યો
Surat Dog Save By Social Worker
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 25, 2022 | 5:24 PM

સુરત(Surat) શહેરમાં ગુનાખોરી વધી જ છે તેની સાથો સાથ હવે સ્ટ્રે ડોગ, (Stray Dog) ગાય જેવા અબોલજીવો ઉપર અત્યાચારનાં(Attack)  બનાવો પણ વધી ગયાં છે. છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રે ડોગને મારી નાખવાનાં વધી ગયેલાં કિસ્સાઓ બાદ પોલીસે ગુના નોંધવાની કાર્યવાહી કરવા છતાં અબોલજીવો ઉપર અત્યાચાર ગુજારનાર નિષ્ઠુર લોકો હજુ ગુનો આચરતાં અચકાતા નથી. જેમાં વરાછા વિસ્તારમાં બે નિષ્ઠુર શખ્સ કુતરાંનાં માસુમ બચ્ચાને કોથળામાં પેક કરીને મરવા માટે કચરાપેટીમાં નાંખી નાસી છુટ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો કે, સ્થાનિક મહિલાઓ અને સામાજિક કાર્યકરની માનવતાને પરિણામે કુતરાંનાં બચ્ચાનો જીવ બચી જવા પામ્યો હતો. આ બનાવને પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે અને આસપાસનાં સુરત શહેરમાં માણસો સાથે સંકળાયેલી ગુનાખોરી સીસીટીવી કેમેરાનાં ફુટેજને આધારે ટુવ્હીલર ઉપર આવેલાં બંને શખ્સને ટુવ્હીલર બે શખ્સ ગયાં હોવાની ઝડપી પાડવાની માંગ ઉઠી છે.

કોથળો બહાર કાઢતા તેમાંથી કૂતરાનું બચ્ચું મળી આવ્યું હતું

જેમાં ચલથાણ ખાતે રહેતાં અને બોમ્બે માર્કેટ પાસે એન.જી.ઓ.ની ઓફિસ ધરાવતાં તરૂણ મિશ્રા બોમ્બે માર્કેટ પાસેથી પસાર થઇ રહ્યાં હતાં ત્યારે સ્થાનિક બે-ત્રણ મહિલાઓએ નજીકની કચરાપેટીમાં બે શખ્સ કોથળામાં કંઇક શંકાસ્પદ નાખી ગયા હોવાની વાત કરી હતી. તરૂણ મિશ્રાએ કચરાપેટીમાં જોયું તો કોથળામાં હલચલ થતી હતી અને પ્રાણીનાં વેદનાની સાથે રડવાનો અવાજ આવતો હતો. તેમણે તરત જ કચરાપેટીમાં ઉતરીને તેણે કોથળો બહાર કાઢતા તેમાંથી કૂતરાનું બચ્ચું મળી આવ્યું હતું.

ઇજાગ્રસ્ત હાલતમાં ગભરાયેલાં બચ્ચાને સારવારની તાત્કાલિક જરૂર હોવાથી તેમણે જાણકાર વ્યક્તિને બોલાવીને સારવાર અપાવી હતી. ત્યારબાદ મહિલાઓની પુછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, પાંચ મિનિટ પહેલાં ટુ વ્હીલર ઉપર બે શખ્સ આવ્યા હતાં અને કોથળો કચરાપેટીમાં ફેંકીને નાસી છુટ્યા હતાં. તરૂણ મિશ્રાની માનવતાએ કુતરાંનાં માસુમ બચ્ચાને નવુ જીવતદાન આપ્યું છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

પાંચ મિનિટ મોડું થયું હોત તો બચ્ચું મરી જ ગયું હોત

સામાજિક કાર્યકર ના જણાવ્યા પ્રમાણે નિષ્ઠુર લોકો કોથળામાં કુતરાંને નાંખીને દોરીથી પેક કરીને કોથળો કચરાપેટીમાં નાંખી ગયાં હતાં. કોથળો દોરીથી બાંધી દીધો હોવાથી જો પાંચ મિનિટ પણ મોડું થયું હોત તો માસુમ બચ્ચું શ્વાસ રૂંધાવાને કારણે મરી જ ગયું હોત. સ્થાનિક મહિલાઓએ જાણકારી આપી હતી કે પાંચ મિનિટ પહેલાં જ ફેંકી ગયા છે અને કોથળામાંથી અવાજ આવે છે એટલે કચરાપેટીમાંથી કોથળો બહાર કાઢી બચ્ચાને બચાવી લીધું હતું

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">