Surat : રસીની અછત, મંથરગતીએ ચાલતી રસીકરણની કામગીરીથી યુવા વર્ગ વેકસીનથી વંચિત

Surat : સુરત શહેરમાં કોરોનાવાયરસનું જોખમ હજી ઘટ્યું નથી. કોરોના સામે રક્ષણ મેળવવા વેકસીનેશન એ જ ઉપાય છે. પરંતુ વેકસિનની અછતના કારણે પાછલા કેટલાક દિવસથી યુવાનોમાં રસીકરણમાં ઘટાડો નોંધાયો છે.

Surat : રસીની અછત, મંથરગતીએ ચાલતી રસીકરણની કામગીરીથી યુવા વર્ગ વેકસીનથી વંચિત
રસીકરણ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 11, 2021 | 3:38 PM

Surat : સુરત શહેરમાં કોરોનાવાયરસનું જોખમ હજી ઘટ્યું નથી. કોરોના સામે રક્ષણ મેળવવા વેકસીનેશન એ જ ઉપાય છે. પરંતુ વેકસિનની અછતના કારણે પાછલા કેટલાક દિવસથી યુવાનોમાં રસીકરણમાં ઘટાડો નોંધાયો છે.

સરકારે 18 થી44 વર્ષની ઉંમર ધરાવતા યુવાનોને પણ કોરોનાની રસી આપવાની શરૂઆત કરી હતી. જેના કારણે યુવાનોમાં રસીકરણને લઈને ભારે ઉત્સાહ હતો.

રસીકરણના પહેલા જ દિવસે સુરત શહેરમાં 18+ ગ્રુપમાં 8749 યુવાનોએ રસીનો લાભ લીધો હતો. પરંતુ રસીનો સ્ટોક ઓછો હોવાના કારણે પાછલા એક અઠવાડિયાથી દરરોજ લગભગ પાંચ હજાર યુવાનોને જ રસી લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વેકસીનની અછતના કારણે સોમવારે 2444 યુવાનોને જ કોરોનાની રસી આપી શકાઇ છે. સુરત મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર પર સોશિયલ ડિસ્ટનસિંગ જાળવી રાખવા માટે તેમજ રસીની અછત હોવાના કારણે પણ હવે રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે .

પહેલા ડોઝ માટે જેમનું રજીસ્ટ્રેશન હશે અને બીજા ડોઝ માટે જેમને એસ.એમ.સી દ્વારા મોબાઈલ પર મેસેજ આવશે તેને જ કોરોનાની રસી આપવામાં આવશે.

સરકારે કોરોના વેકસીનેશનના ત્રીજા ચરણમાં 18 થી 40 વર્ષના ઉંમરના વ્યક્તિઓને પણ સામેલ કર્યા છે. જેમાં યુવાનોમાં વેકસીનેશનને લઈને ભારે ઉત્સાહ હતો. પરંતુ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે કોવિન વેબસાઇટ ક્રેશ થઈ જાય છે. ગુજરાતમાં કોરોના સંક્રમણથી પ્રભાવિત 10 જિલ્લાઓમાં યુવાનો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

સોમવારે શહેરના બધા ઝોનમાં કોઈ 17216 લોકોને રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં હેલ્થ કેર વર્કરો અને ફ્રન્ટલાઈન વર્કરો માં 641ને પ્રથમ ડોઝ અને 2145 ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

45 વર્ષ કરતાં વધુ વય ધરાવતા 2319 લોકોને પ્રથમ તથા 9668 લોકોનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 18 થી 30 વર્ષની ઉંમર વાળા 2444 યુવાનોને પ્રથમ ડોઝની સાથે સોમવારે શહેરમાં કુલ 17204 લોકોને રસી આપવામાં આવી હતી.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">