Surat : પુસ્તકપ્રેમીઓ માટે સુરતના અડાજણ વિસ્તારમાં શરૂ થઇ “પુસ્તક પરબ”, સેવાભાવી યુવાનો

સુરતનાં લોકો જેમ ખાણી પીણી માટે પ્રખ્યાત છે તેમજ વાંચનપ્રિય પણ છે .અને એટલા માટે જ સુરતની વાંચન પ્રિય જનતા માટે “પુસ્તક પરબ” ટૂંક સમયમાં જ એક જાણીતું અને લોકપ્રિય  નામ બની ગયું છે.

Surat : પુસ્તકપ્રેમીઓ માટે સુરતના અડાજણ વિસ્તારમાં શરૂ થઇ પુસ્તક પરબ, સેવાભાવી યુવાનો
Surat: "Book Festival" begins in Adajan area of Surat for book lovers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 3:41 PM

એવું કહેવાય છે કે પુસ્તક(Book ) એક સારા મિત્રની ગરજ સારે છે કારણ કે પુસ્તકોમાંથી આપણે અઢળક જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા જ્યોતીન્દ્ર દવે ઉદ્યાન ખાતે વાચકોની વાંચનની ભૂખ સંતોષવા માટે દર મહિનાનાં પહેલા રવિવારે પુસ્તક પરબ ખુલ્લી મુકવામાં આવે છે જેનો નિશુલ્ક લાભ ઉદ્યાનમાં મોર્નિંગ વોક કે ફરવા માટે આવતા લોકો લઇ રહ્યા છે.

સુરતનાં લોકો જેમ ખાણી પીણી માટે પ્રખ્યાત છે તેમજ વાંચનપ્રિય પણ છે અને એટલા માટે જ સુરતની વાંચન પ્રિય જનતા માટે “પુસ્તક પરબ” ટૂંક સમયમાં જ એક જાણીતું અને લોકપ્રિય  નામ બની ગયું છે. સુરતના અડાજણ વિસ્તારના જ્યોતીન્દ્ર દવે ઉદ્યાન ખાતે દર મહિનાના પહેલા રવિવારે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન જાહેર જનતા માટે પુસ્તક પરબ ખુલ્લું મુકવામાં આવે છે.

ત્યારે સવારે ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ અને સ્થાનિકો પોતાના મનગમતાં પુસ્તકો વાંચન માટે ઘરે લઇ જાય છે અને બીજા મહીને પ્રથમ રવિવારે તે પુસ્તકો પરત કરી જાય કે પછી બદલાવી જાય છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ કાર્ય તદ્દન નિશુલ્ક રીતે કરવામાં આવે છે, આ ભગીરથ કાર્યમાં કેટલાક સેવાભાવી યુવાનો સેવા આપી રહ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પુસ્તક પરબનો લાભ લેવા કેટલાક ગૃહસ્થો અને સિનિયર સીટીઝનો તો નિયમિત આવતા જ હોય છે ત્યારે હવે ગાર્ડનમાં આવતો યુવા વર્ગ પણ પુસ્તકો પ્રત્યે આકર્ષાયો હોય તેમ દેખાઈ રહ્યું છે. આ અંગે પુસ્તક પરબ ના સભ્ય આશિષ ચૌધરીએ જણાવ્યું છે  કે” કોઈ પાસે વાંચી લીધેલા પુસ્તકો ઘરે પડ્યા હોય અને ફરી તેનો ઉપયોગ કરવાના ન હોય તો તે પુસ્તકો લોકો અમને ભેટ સ્વરૂપે આપી શકે છે. જેથી એ પુસ્તકોનો સુરતની જનતા મહત્તમ લાભ લઇ શકે.

આજના આધુનિક યુગમાં જયારે લોકો મોબાઈલની અને ઇન્ટરનેટની માયાજાળમાં રચ્યા પચ્યા રહે છે ત્યારે આ પુસ્તક પરબ એક એવું માધ્યમ બન્યું છે જે લોકોને ફરીથી પુસ્તકો તરફ દોરી શકે છે. આ પુસ્તક પરબમાં નવલકથા, વાર્તા, કવિતા, આધ્યાત્મિક, પ્રકૃતિ વિષયક તથા સામાજિક પુસ્તકો એમ તમામ પ્રકારના પુસ્તકો આપને વિના મુલ્યે વાંચવા મળશે. અહીંથી આપ પોતાને ગમતા 2 પુસ્તકો વિના મુલ્યે માત્ર નોંધણી કરાવીને વાંચવા લઇ જઈ શકે છે અને ફરીથી જયારે પણ પુસ્તક પરબની મુલાકાત લો ત્યારે પરત કરી શકે છે.

આ પણ વાંચો : સુરતમાં ફરી દુષ્કર્મની ઘટના : વરાછામાં બરોડા પ્રિસ્ટેજ પાસે 12 વર્ષની બાળકી સાથે આચરવામાં આવ્યું દુષ્કર્મ

આ પણ વાંચો : Surat: જ્યારે રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષે પૂછ્યું કે “છઠ પૂજા મેં ઘર જાયે કે બા નુ?

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">