Sunday: કુંડલીમાં સૂર્યને બળવાન કરવા માટે કરો આદિત્ય હ્રદય સ્ત્રોતના પાઠ, જાણો શું છે ફાયદાઓ
વૈદિક જ્યોતિષમાં સૂર્યને પિતાના સ્વરૂપમાં માનવાં આવ્યા છે.જેની ચાર્યે બાજુ તમામ ગ્રહો ભ્રમણ કરે છે.
વૈદિક જ્યોતિષમાં સૂર્યને પિતાના સ્વરૂપમાં માનવાં આવ્યા છે.જેની ચાર્યે બાજુ તમામ ગ્રહો ભ્રમણ કરે છે. સૂર્યને નોકરી સામાજિક પ્રતિષ્ઠા,અને આત્મસમ્માન વિગેરેનો કારક માનવામાં આવે છે. સુર્ય એ નવ ગ્રહોનો રાજા છે. કુંડલીમાં તેની સ્થિતિ બળવાન હોવાથી અન્યો ગ્રહોના દુષ્પ્રભાવ આપોઆપ ઓછા થઈ જાય છે. એટલા માટે કુંડલીમાં સૂર્યની સ્થિતિ મહત્વપૂર્ણ હોય છે.
જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ, રોકાય ગયેલા કામ, મેહનત કરવા છતાં ણા મળતી સફળતા જેવી તમામ સમસ્યાઓથી પરેશાન છો તો અમે અહી તમને એક ઉપાય બતાવી છીએ જે તમને માત્ર લાભ જ નહીં પરંતુ ઉન્નતિ તરફ લઈ જશે. પૌષ મહિનામાં ભગવાન સૂર્યની ઉપાસના કરવાની સાથે સાથે આદિત્ય હ્રદય સ્ત્રોતના પાઠ પણ નિયમિત કરવા જોઈએ જે આપણાં માટે અત્યંત લાભકારી માનવામાં આવે છે. પૌષ મહિનામાં ભગવાન સૂર્યની પૂજા કરવી એ સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે. હિન્દુ પંચાંગ મુજબ 28 જાન્યુઆરી 2021 સુધી પૌષ મહિનો રહશે. આ સમય દરમ્યાન નિયમિત પેણે આદિત્ય હ્રદય સ્ત્રોત કરવાથી અત્યંત લાભ મળે છે. આ પાઠ કરવાથી ઘરમાં સુખ-શાંતિ મળે છે તેમજ ધન, સારી નોકરી તેમજ સમાજમાં સારી પ્રતિષ્ઠા પણ મળે છે. આ પાઠ કરવાથી તમામ પ્રકારના દુખ- દર્દ દૂર થાય છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર આદિત્ય હ્રદય સ્ત્રોતનું વર્ણન વાલ્મીકિની રામાયણમાં મળે છે. આ સ્ત્રોત અગસ્તય ઋષિને ભગવાન રામને રાવણ સામે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે આપ્યો હતો. ભગવાન શ્રી રામે રાવણ સામે યુદ્ધ કરતાં પેહલા આદિત્ય સ્ત્રોતનો પાઠ કરીને ભગવાન સૂર્યને પ્રસન્ન કર્યા હતા.