સુંદર ત્વચા અને ભરાવદાર વાળ ઝંખતા હોવ તો આમળાનું કરો સેવન, ઈમ્યુનિટીથી લઈ ઈન્ફેક્શનમાં રહેશે મદદગાર
આમળા ખૂબ જ પૌષ્ટિક હોય છે. તે એન્ટીઓક્સીડેન્ટ હોવાના કારણે બ્યુટી પ્રોડક્ટમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. તેને ત્વચા અને વાળના નિખાર માટે આયુર્વેદિક દવા તરીકે પણ લેવામાં આવે છે. પાચનક્રિયામાં લાભ : બીજા ફળોની જેમ આમળામાં પણ ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે પાચનક્રિયાને વ્યવસ્થિત ચલાવવા માટે મદદરૂપ સાબિત થાય છે. એટલે આમળા પેટ […]
આમળા ખૂબ જ પૌષ્ટિક હોય છે. તે એન્ટીઓક્સીડેન્ટ હોવાના કારણે બ્યુટી પ્રોડક્ટમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. તેને ત્વચા અને વાળના નિખાર માટે આયુર્વેદિક દવા તરીકે પણ લેવામાં આવે છે.
પાચનક્રિયામાં લાભ : બીજા ફળોની જેમ આમળામાં પણ ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે પાચનક્રિયાને વ્યવસ્થિત ચલાવવા માટે મદદરૂપ સાબિત થાય છે. એટલે આમળા પેટ સંબંધિત સમસ્યાને દૂર રાખે છે.
ડાયાબીટીસ પર નિયંત્રણ : આમળામાં ક્રોમિયમ હોય છે, જે ડાયાબિટીસના ઈલાજમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ : વજન ઓછું કરવા માટે કાચા આમળા ખાઓ. તે ઉપરાંત આમળા પાઉડરને મધ અને હૂંફાળા પાણી સાથે પીઓ. થોડા દિવસમાં ફરક દેખાવા લાગશે.
માસિક નિયમિત રાખે : આમળામાં રહેલા મિનરલ્સ અને વિટામિન માસિક દરમ્યાન થતા દુઃખાવા અને માસિકને નિયમિત કરવામાં મદદ કરે છે. વિટામિન સી હોવાથી તે ઇમ્યુનિટી પણ વધારે છે.
હૃદય સંબંધિત સમસ્યાઓથી રાહત : આમળા પાઉડર માંસપેશીઓ મજબૂત કરે છે. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે.
યુરિન ઇન્ફેક્શનથી બચાવે, ભૂખ પણ વધારે : આમળા યુરિનની માત્રાને નિયંત્રિત કરે છે. ઇન્ફેક્શનથી બચાવે છે. ભોજન પહેલા માખણ, મધ સાથે આમળા પાઉડર મિક્સ કરીને ખાવાથી ભૂખ વધે છે.
લોહી સાફ કરે છે : આમળા પ્રાકૃતિક રીતે લોહીને સાફ કરે છે. જો ખીલની સમસ્યા હોય તો આમળાથી બનેલો ફેસપેક વાપરો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો