આત્મહત્યાથી મોત થયાની વાત પીએમ બાદ નિકળી ખોટી, સમલેગિંગ સબંધમાં હત્યા થઈ હોવાનુ ખુલ્યુ, જાણો શુ છે ઘટના
ભરૂચના મકતમપુર વિસ્તારમાં સમલિંગીગ સંબંધોમાં હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કિન્નરે પ્રેમીની ચપ્પુનાં ઘા મારી હત્યા કરી નાખીને, આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. કિન્નર અને યુવાન દશ વર્ષથી પ્રેમ સંબંધમાં રહેતા હોઈ, ઝઘડામાં ઉશ્કેરાઈ ગયેલ કિન્નરે યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી હતી. ભરૂચમાં યુવાન અને કિન્નર વચ્ચેનાં પ્રેમ સબંધ લોહીયાળ બન્યા હતા જેમાં […]
ભરૂચના મકતમપુર વિસ્તારમાં સમલિંગીગ સંબંધોમાં હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કિન્નરે પ્રેમીની ચપ્પુનાં ઘા મારી હત્યા કરી નાખીને, આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. કિન્નર અને યુવાન દશ વર્ષથી પ્રેમ સંબંધમાં રહેતા હોઈ, ઝઘડામાં ઉશ્કેરાઈ ગયેલ કિન્નરે યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી હતી.
ભરૂચમાં યુવાન અને કિન્નર વચ્ચેનાં પ્રેમ સબંધ લોહીયાળ બન્યા હતા જેમાં કિન્નરે તેના પ્રેમીની ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી હતી. .ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ ભાથીજી મંદિર નજીક હતી નયના કીન્નાર સાથે આ જ વિસ્તારના ૩૦ વર્ષના યુવાન અબ્દુલ સિંધીનાં છેલ્લા ૧૦ વર્ષથી સમલિંગીગ પ્રેમ સબંધ હતા અને બન્ને સાથે રહેતા હતા.બન્ને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલ નયના કિન્નરે તેના પ્રેમી અબ્દુલ સિંધીને પેટનાં ભાગે છરીના ઘા મારી દીધા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલ અબ્દુલ સિંધીને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
કિન્નર તેના પ્રેમી અબ્દુલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવી હોસ્પિટલ લઇ ગઈ હતી. સારવાર દરમ્યાન અબ્દૂલના મૃત્યુ બાદ આજે પોસ્ટ મોટર્મ કરવામાં આવતા ઘાની સ્થિતિને જોતા મામલો હત્યાનો હોવાનું તબીબી અનુમાન અપાયું હતું. પોલીસને શન્કા જતા સી ડીવીઝન પોલીસે નયના કિન્નરની કડકાઈથી પૂછપરછ કરતા તેને ગુનો કબુલ્યો હતો. કિન્નર વિરુદ્ધ હત્યા અંગેનો ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો