VIDEO: અમદાવાદમાં સુભાષબ્રિજના સમારકામની અસરથી વાડજ અને દૂધેશ્વર સર્કલ પર ટ્રાફિક જામ
અમદાવાદમાં સુભાષબ્રિજના સમારકામની અસર વાડજ અને દૂધેશ્વર સર્કલ પર પડી રહી છે. સુભાષબ્રિજનો ટ્રાફિક ડાયવર્ટ કરાય છે. અને તે આ ટ્રાફિક વાડજ અને દૂધેશ્વર સર્કલ પર જામ થઈ જાય છે. આ જ સમસ્યા માથાનો દુઃખાવો બની જતા પોલીસ કમિશનરની સૂચના બાદ ટ્રાફિક વિભાગ હરકતમાં આવ્યું છે. ટ્રાફિકની ગૂંચવાયેલી સમસ્યાનો ઉકેલ શોધવા ટ્રાફિક વિભાગ કામે લાગ્યું […]
અમદાવાદમાં સુભાષબ્રિજના સમારકામની અસર વાડજ અને દૂધેશ્વર સર્કલ પર પડી રહી છે. સુભાષબ્રિજનો ટ્રાફિક ડાયવર્ટ કરાય છે. અને તે આ ટ્રાફિક વાડજ અને દૂધેશ્વર સર્કલ પર જામ થઈ જાય છે. આ જ સમસ્યા માથાનો દુઃખાવો બની જતા પોલીસ કમિશનરની સૂચના બાદ ટ્રાફિક વિભાગ હરકતમાં આવ્યું છે. ટ્રાફિકની ગૂંચવાયેલી સમસ્યાનો ઉકેલ શોધવા ટ્રાફિક વિભાગ કામે લાગ્યું છે.
આ પણ વાંચોઃ Vodafoneના ગ્રાહકો માટે ફૂલ ટૉકટાઈમનો નવો પ્લાન, માત્ર આટલા રૂપિયામાં મળશે સુવિધા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ટ્રાફિક વિભાગે પહેલો પ્રયોગ હાથ ધર્યો છે વધુ એક ડાયવર્ઝન આપીને. હવે જેમને દૂધેશ્વર અને સીપી ઓફિસથી ગાંધીનગર જવું હશે. તેમને ઉસ્માનપુરા અને ઈન્કમટેક્સ થઈને જવું પડશે. આ ઉપરાંત ઉસ્માનપુરા અને રાણીપથી દૂધેશ્વર બ્રિજ તરફ જતી AMTS અને ST બસોને RTO સર્કલથી ડાયવર્ટ કરાઈ છે. મહત્વનું છે કે, આ માટે ટ્રાફિક વિભાગે NIDના રિસર્ચરોની સલાહ લીધી છે. જો કે, સવાલ એ પણ છે કે, શું આ નવો પ્રયોગ ટ્રાફિક હળવો કરશે.?