દિવાળીમાં મુસાફરોના ધસારાને પહોચી વળવા, એસટી વિભાગ વધુ 1000 ટ્રીપનું કરશે સંચાલન
દિવાળીના તહેવારમાં લોકો તેમના વતન સરળતાથી જઈ શકે તે માટે એસટીના નામે જાણીતુ ગુજરાત માર્ગ વાહનવ્યવહાર વિભાગ, રાજ્યમાં વધુ 1000 ટ્રીપનું સંચાલન કરશે. ખાસ કરીને સુરત અને અમદાવાદથી સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત, પંચમહાલ, દાહોદ માર્ગ ઉપર વધુ એસટી બસ દોડાવવામાં આવશે. સુરતથી સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત અને પંચમહાલના માર્ગ ઉપર 300 વધુ બસ દોડાવશે. તો અમદાવાદથી સૌરાષ્ટ્ર, […]
દિવાળીના તહેવારમાં લોકો તેમના વતન સરળતાથી જઈ શકે તે માટે એસટીના નામે જાણીતુ ગુજરાત માર્ગ વાહનવ્યવહાર વિભાગ, રાજ્યમાં વધુ 1000 ટ્રીપનું સંચાલન કરશે. ખાસ કરીને સુરત અને અમદાવાદથી સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત, પંચમહાલ, દાહોદ માર્ગ ઉપર વધુ એસટી બસ દોડાવવામાં આવશે. સુરતથી સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત અને પંચમહાલના માર્ગ ઉપર 300 વધુ બસ દોડાવશે. તો અમદાવાદથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, દાહોદ અને પંચમહાલ રૂટ ઉપર વધુ 150 બસ દોડાવાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો