Gujarat : અનુબંધમ પોર્ટલ વિશે ઉદ્યોગમાં જાગૃતિ લાવવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન
તાજેતરમાં લોન્ચ થયેલી મોબાઈલ એપ્લિકેશન અનુબંધમ (Anubandham)દ્વારા કંપનીઓ તેમની જરૂરિયાતોની સૂચિ બનાવી શકે છે, તેમજ ઈચ્છુક ઉમેદવારો તેમની લાયકાત અને પસંદગીઓના આધારે અરજી કરીને રોજગારી મેળવી શકશે.
Gujarat : ડિજિટલ પ્લેટફોર્મ સાથે વર્ષો જુના રોજગાર વિનિમય સેટઅપને બદલવા માટે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા તાજેતરમાં જ નોકરીના આકાંક્ષીઓ અને નોકરીદાતાઓ વચ્ચેના અંતરને દૂર કરવા માટે એક નવી ડિઝિટલ અનુબંધમ એપ(Anubandham App) શરૂ કરી છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન
GCCIએ શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા (IAS) સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. નવા અનુબંધમ પોર્ટલ વિશે ઉદ્યોગમાં જાગૃતિ લાવવા માટે ગુજરાત સરકાર (Gujarat government) અને રોજગારી પેદા કરવા અને કૌશલ્યના તફાવતને દૂર કરવામાં ઉદ્યોગોની ભૂમિકા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ (IAS Anju Sharma) જણાવ્યું હતું કે “રોજગાર વિનિમયને સંપૂર્ણપણે બનાવવા તરફ આ એક મહ્તવનું પગલું છે, ઓનલાઈન પ્લેસમેન્ટ માટે આ પોર્ટલ મહત્વનું સાબિત થશે.”
GCCI organized a meeting with Smt Anju Sharma [IAS] Principal Secretary, Labour & Employment Dpt. Govt of Guj for creating awareness amongst industry about the new Anubandham Portal; & also discussing about the role of industries in generating employment & bridging the skill gap pic.twitter.com/2KTYaOwyKA
— Gujarat Chamber of Commerce and Industry (@GCCIAhmedabad) September 10, 2021
અનુબંધમ એપથી યુવકોને સરળતાથી મળી રહેશે રોજગાર
આ કાર્યક્રમમાં રોજગાર વિનિમય કર્મચારીઓની ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપતા શર્માએ કહ્યું, “આ પોર્ટલની મદદથી રોજગાર અને નોકરી શોધનારાઓની જરૂરિયાતો પુરી થશે.” ઉપરાંત મોબાઈલ એપ્લિકેશન(Mobile Application) અનુબંધમ દ્વારા કંપનીઓ તેમની જરૂરિયાતોની સૂચિ બનાવી શકશે, તેમજ યુવાનોને લાયકાત અને પસંદગીઓના આધારે રોજગારી મળી શકશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અનુબંધમ એપ લોન્ચ કરી હતી
ઓગસ્ટમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ (CM Vijay Rupani) સુરતમાં આયોજીત એક કાર્યક્રમમાં અનુબંધમ એપ લોન્ચ કરી હતી. મુખ્યપ્રધાને જણાવ્યુ હતુ કે આ મોબાઈલ એપની મદદથી યુવાનોને રોજગારીની સારી તક મળશે, તેમજ નોકરી આપનાર કંપનીઓ પણ તેમની જરૂરિયાતો પુરી કરી શકશે.
અનુબંધમ એપ બ્રિઝ તરીકે કામ કરશે
વધુમાં જણાવ્યું હતુ કે આ ડિઝિટલ એપ બેરોજગાર (Unemployment) યુવકો અને નોકરીદાતાઓ વચ્ચે એપ બ્રિઝ તરીકે કામ કરશે. ઉપરાંત જણાવ્યુ હતુ કે કેન્દ્રીય મંત્રાલયના આંકડા જણાવતા કહ્યું કે દેશમાં સૌથી વધારે રોજગાર આપનાર રાજ્ય ગુજરાત છે. રાજ્યમાં બેરોજગારીનો દર 22 ટકા છે, જે અન્ય રાજ્યો કરતા ખુબ ઓછો છે.
આ પણ વાંચો: Uttar Pradesh : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પ્રયાગરાજની કરશે મુલાકાત, નેશનલ લો યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે
આ પણ વાંચો: કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે ભાવિના પટેલને 8 લાખનું રોકડ ઇનામ આપ્યું