કરજણમાં સુમેરૂ નવકાર તીર્થ કોવિડ કેર સેન્ટર બન્યું કોરોના દર્દીઓની સારવાર, સેવા અને સુશ્રુષાનું કેન્દ્ર

જિલ્લા પ્રશાસન દ્વારા કરજણમાં જરૂરી તમામ મેડિકલ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સુમેરૂ નવકાર તીર્થ આજે દર્દી નારાયણોની સેવા સારવારનું કેન્દ્ર બન્યું છે.

કરજણમાં સુમેરૂ નવકાર તીર્થ કોવિડ કેર સેન્ટર બન્યું કોરોના દર્દીઓની સારવાર, સેવા અને સુશ્રુષાનું કેન્દ્ર
કરજણ કોવિડ સેન્ટર
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: May 12, 2021 | 1:15 PM

કોરોનાની મહામારીએ સૌની કમર તોડી નાખી છે. ઘણી બધી જગ્યાએ કોવિડની સારવારના તબીબી યજ્ઞો ચાલી રહ્યા છે. કરજણમાં સુમેરૂ નવકાર તીર્થ કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

સૂમેરૂ નવકાર તીર્થ કોવીડ કેર સેન્ટરમાં સારવાર લઈ સાજા થયેલા મિયાગામના નટવર પંચાલ, ક્રિષ્ના પંચાલ અને પ્રવિણાબેને તેમના અનુભવો જણાવ્યા હતા. તેમના શબ્દો હતા “કોવિડ કેર સેન્ટરમાં દર્દી વાંકો વળીને આવે છે અને સાજો થઈને ઘરે પરત ફરે છે.” “હું 12 જ દિવસમાં સ્વસ્થ થયો છું.” “માત્ર સાત જ દિવસની સારવારથી હું કોવીડમાંથી બહાર આવી છું. મારી તબિયત હવે બિલકુલ સારી છે.”

દર્દીઓના અભિપ્રાય છે કે અહી ડોકટરોની ટીમ દર્દીઓની સેવા માટે દિન રાત ખડે પગે રહે છે. જમવા સહિત તમામ વ્યવસ્થાઓ બહુ જ સરસ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વડોદરા જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા સુમેરૂ નવકાર તીર્થ, કરજણમાં સંસ્થાની ધર્મશાળામાં 500 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. આ સેન્ટર કરજણ તથા આસપાસના કોવિડના દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થયું છે.

જિલ્લા પ્રશાસન દ્વારા અહીં જરૂરી તમામ મેડિકલ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સુમેરૂ નવકાર તીર્થ આજે દર્દી નારાયણોની સેવા સારવારનું કેન્દ્ર બન્યું છે.

સુમેરૂ નવકાર તીર્થના મેનેજર નરેશ પંડ્યા જણાવે છે કે જિલ્લા પ્રશાસનના પીઠબળથી સંસ્થામાં સપ્ટેમ્બર – 2020 થી 500 પથારીનું કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાંથી અત્યાર સુધીમાં ૩૦૦૦ થી વધુ કોરોનાના દર્દીઓ સાજા થઈને હેમખેમ પોતાના ઘરે પરત ફર્યા છે.

તેઓ ઉમેરે છે કે સરકાર, ટ્રસ્ટીઓ તથા દાતાઓના સહયોગથી જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. દર્દીઓની સેવા સારવાર કરવા સાથે દવા, બે વેળાનું જમવાનું, ચા, નાસ્તો, વેપેરાઈઝર, સાબુ, કપડાં ધોવાના સાબુ, ટૂથ પેસ્ટ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

સીમળીના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પાયલ સોલંકી કહે છે કે હાલમાં આ સેન્ટરમાં 350 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. સેન્ટરમાં 38 ઓકસીજન સિલીન્ડરની પણ વ્યવસ્થા છે એટલું નહીં અહી ઓક્સિજનની કાયમી વ્યવસ્થા પણ ટૂંક સમયમાં ઉભી થઇ જશે.

તેઓ જણાવે છે કે તબીબો અને પેરા મેડિકલ સહિત 15 જેટલા આરોગ્ય યોદ્ધાઓ દર્દીઓની પુરી સંવેદનશિલતા સાથે સેવા સારવાર કરી રહ્યા છે. આરોગ્ય કર્મયોગી દ્વારા દર્દીઓના વાયટલસની ચકાસણી, ઓકસીજન લેવલ સહિત તેઓના આરોગ્યની કાળજી એક સ્વજનની જેમ લેવામાં આવી રહી છે.

કોરોના મહામારીમાં ધાર્મિક, સેવાભાવી સંસ્થાઓ કોરોનાની કપરી પરિસ્થિતિમાં સરકાર સાથે ખભેખભો મિલાવી કામ કરી સમાજ પ્રત્યે જેટલો થઈ શકે એટલો સહયોગ કરી, આ સંકટની ઘડીમાં પ્રશાસન અને સરકારને મદદરૂપ થઇ સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કરી રહી છે જે સરાહનીય છે.

ધાર્મિક સંસ્થાઓ આસ્થા ભક્તિનું કેન્દ્ર બનવા સાથે જીવ માત્રની સેવા કરી રહ્યા છે. ત્યારે સુમેરૂ નવકાર તીર્થ કોવિડના વ્યવસ્થાપનમાં સરકાર સાથે સહ ભાગીદાર બની દર્દી સેવા યજ્ઞમાં પોતાની આહુતિ આપી એક નવો રાહ ચિંધ્યો છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">