મોંઘવારી વધવા મામલે સિંગતેલના ભાવો જવાબદાર નથી, ભારતીય કિસાન સંઘને સિંગતેલના ભાવ નિયંત્રિત ન કરવા સીએમને લખ્યો પત્ર
સિંગતેલના ભાવ વધવાને કારણે મોંઘવારી વધી છે, તેમજ મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાયું છે તેવા અહેવાલો વચ્ચે ભારતીય કિસાન સંઘ ખેડૂતોના બચાવમાં આગળ આવ્યું છે. ભારતીય કિસાન સંઘ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે અને વિનંતી કરી છે કે સરકાર મગફળીના ભાવને નિયંત્રિત કરવા માટે કોઇ પગલાં ના લે. કિસાન સંઘે પોતાના બચાવમાં કહ્યું […]
સિંગતેલના ભાવ વધવાને કારણે મોંઘવારી વધી છે, તેમજ મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાયું છે તેવા અહેવાલો વચ્ચે ભારતીય કિસાન સંઘ ખેડૂતોના બચાવમાં આગળ આવ્યું છે. ભારતીય કિસાન સંઘ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે અને વિનંતી કરી છે કે સરકાર મગફળીના ભાવને નિયંત્રિત કરવા માટે કોઇ પગલાં ના લે. કિસાન સંઘે પોતાના બચાવમાં કહ્યું છે કે મોંઘવારી માટે માત્ર સિંગતેલ જવાબદાર નથી, મોંઘવારી માટે પેટ્રોલ, ડીઝલ, મોબાઇલ, ફેશન વગેરે બાબત જેવા ખર્ચમાં વધારો પણ જવાબદાર છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો