સૌની યોજના બની જામનગરના કાલાવડ તાલુકાના 30 ખેડૂતો માટે અભિશાપ રૂપ,ખેડુતોને વળતર ચુકવવા ઠાગાઠૈયા
આમ તો સૌની યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે પરંતુ જામનગરના કાલાવડ તાલુકાના 30 ખેડૂતો માટે આ યોજના અભિશાપરૂપ સાબિત થઈ છે. સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની બેદકારીના કારણે ખેડૂતોને મોટી નુક્સાની સહન કરવાનો વારો આવ્યો છે. અહીં સૌની યોજનાની લીંક ચારની પાઇપલાઇન નાખવાનું કામ ગત શિયાળામાં શરૂ કરવામાં આવ્યું હતું તે સમયે ખેડૂતોને વળતર પેટે 36 […]
આમ તો સૌની યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે પરંતુ જામનગરના કાલાવડ તાલુકાના 30 ખેડૂતો માટે આ યોજના અભિશાપરૂપ સાબિત થઈ છે. સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની બેદકારીના કારણે ખેડૂતોને મોટી નુક્સાની સહન કરવાનો વારો આવ્યો છે. અહીં સૌની યોજનાની લીંક ચારની પાઇપલાઇન નાખવાનું કામ ગત શિયાળામાં શરૂ કરવામાં આવ્યું હતું તે સમયે ખેડૂતોને વળતર પેટે 36 હજાર રૂપિયા આપવાની બાહેંધરી અપાઈ હતી. પરંતુ સૌની યોજનાનું મોનિટરિંગ કરતો સિંચાઇ વિભાગ અને કોન્ટ્રાકટરોની મિલીભગત હોય કે બીજુ કંઈ પણ ખેડૂતોને માત્ર 12 હજાર રૂપિયા જ વળતર મળ્યું છે અને જે કામ 3 મહિનામાં પૂરું કરવાનું હતું તે કામ એક વર્ષ થયા તો પણ પૂરું નથી થયું જેના કારણે ખેડૂતો ચોમાસું પાક પણ લઈ શક્યા નથી.કાલાવડ તાલુકાના જાલણસર ગામના 30 ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સુપરવિઝન માટે કોઈ માણસો પણ ન આવતા હોવાથી ખેડૂતોને એ પણ ખબર નથી કે કામ કઈ કંપનીને સોંપવામાં આવેલું છે. ખેડૂતોની સરકાર સમક્ષ માંગ છે કે તેમને સહાય કરવામાં આવે.