જ્યાં સરદારે 11 વર્ષ કર્યો નિવાસ તે સ્મારક ભવન બની ગયું પાર્કિંગ પ્લેસ! જુઓ VIDEO
સરદાર પટેલના નામની વિશ્વમાં ઓળખ ઉભી થાય તે પ્રકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી તૈયાર કરવામાં આવ્યુ છે. અને આ જ રીતે અનેક ઈમારતો, માર્ગ અને મકાનોને પણ સરદારનું નામકરણ કરીને સરદારને સન્માન આપવાનો શ્રેય કેટલાય નેતાઓ અને પક્ષો લેવા તલપાપડ થાય છે. પરંતુ આ બધા વચ્ચે સરદાર પટેલ જે ઘરમાં 11 વર્ષ રહ્યા, તે ઘરની હાલત […]
સરદાર પટેલના નામની વિશ્વમાં ઓળખ ઉભી થાય તે પ્રકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી તૈયાર કરવામાં આવ્યુ છે. અને આ જ રીતે અનેક ઈમારતો, માર્ગ અને મકાનોને પણ સરદારનું નામકરણ કરીને સરદારને સન્માન આપવાનો શ્રેય કેટલાય નેતાઓ અને પક્ષો લેવા તલપાપડ થાય છે. પરંતુ આ બધા વચ્ચે સરદાર પટેલ જે ઘરમાં 11 વર્ષ રહ્યા, તે ઘરની હાલત સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં કંઈક અલગ જ છે.
આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકો માટે આજે આકસ્મિક ધનલાભનો દિવસ છે
લાલ દરવાજા પાસેથી પસાર થતા મોટા ભાગના લોકોને એ વાતનો અંદાજ નહી હોય કે ત્યાં આવેલ સરદાર પટેલ સ્મારક ભવનમાં સરદાર 1917 થી 1928 સુધી એટલે કે 11 વર્ષ પોતાના દિકરી મણી બહેન સાથે રહ્યા હતા. જ્યા હાલમાં SBI બેંકના કર્મચારીઓ પોતાની કાર પાર્ક કરે છે. જાણે સરદાર પટેલના સંસ્મરણો અને સંભારણાને જાળવવાનો કોઈના પાસે સમય જ ના હોય. આ મુદ્દે સરદાર પટેલ સ્મારક ભવનના સંચાલકોએ તો કેમેરા સામે આવવાની જ સ્પષ્ટ ના પાડી દીધી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સરદાર પટેલ જે મકાનમાં રોકાયા હતા ત્યા આજે પણ તેમનો રુમ અને તેમની તમામ વસ્તુઓ જોવા મળે છે. ત્યારે આ સ્મારક ભવનનો પ્રચાર વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાને બદલે આ સ્થળથી જાણે કે સરકાર, કોર્પોરેશન અને સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક ભવનના તમામ સંચાલકોએ જાણે કે મોઢુ ફેરવી લીધુ હોય તેમ જણાઇ રહ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો