Sabarkantha: રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારી કરતા 4 શખ્શો ઝડપાયા, 25 હજાર જેટલી રકમમાં વેચતા હતા ઈન્જેક્શન

હાલમાં ચાલી રહેલા કોરોના મહામારી વચ્ચે દર્દીઓ માટે જેની અછત વર્તાઈ રહી છે એવા રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારી કરતા ચાર શખ્શોને પોલીસે ઝડપી પડ્યા. સાબરકાંઠા એલસીબીએ રંગેહાથે આરોપીને ઝડપી લઈને તપાસ હાથ ધરી છે કે ઈન્જેકશનને કેવી રીતે મેળવવામાં આવી રહ્યા હતા.

Rahul Vegda
| Edited By: | Updated on: May 01, 2021 | 7:45 PM

Sabarkantha: હાલમાં ચાલી રહેલા કોરોના મહામારી વચ્ચે દર્દીઓ માટે જેની અછત વર્તાઈ રહી છે એવા રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારી કરતા ચાર શખ્શોને પોલીસે ઝડપી પડ્યા. સાબરકાંઠા એલસીબીએ રંગેહાથે આરોપીને ઝડપી લઈને તપાસ હાથ ધરી છે કે ઈન્જેકશનને કેવી રીતે મેળવવામાં આવી રહ્યા હતા.

 

 

એક તરફ હાલમાં ચાલી રહેલા કોરોના મહામારી વચ્ચે આરોગ્ય લક્ષી સેવાઓ ના મળવાને લઈ કેટલાક દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે તો બીજી તરફ કોરોનાકાળમાં દર્દીઓ માટે સંજીવની સમાન રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારી કરતા શખ્સો પોલીસ સકંજામાં આવ્યા છે.

 

હિંમતનગરના સહકારી જિન ચર રસ્તા પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે રેમડેસીવીરનું બીનઅધિકૃત વેચાણ કરતા ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે ત્રણ રેમડેસીવીર વાઈલ સાથે ચાર આરોપીની ધરપકડ કરી રેમડેસીવીર ક્યાંથી લાવ્યા અને અન્ય કોઈ લોકો આ કાળાબજારીમાં સંકળાયેલા છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

 

પોલીસે ઝડપેલા આરોપીઓ દર્દીઓની મજબૂરીનો લાભ લઈ એક રેમડેસીવીર વાઈલ 25,000 જેટલી રકમમાં વેચતા હતા. ત્યારે પોલીસે ચારેય આરોપીઓ સામે એસેન્સિયલ કોમોડિટી એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપેડેમીક ડીસીઝ એક્ટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ દરમિયાન હજુ વધુ નામો બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

 

નિરજકુમાર બડગુજર,એસપી, સાબરકાંઠા TV9 સાથે વાત કરતાં જણાવે છે કે, ‘ત્રણ રેમડેસીવીર વાઈલ સાથે ચાર આરોપીની ધરપકડ કરી, રેમડેસીવીર ક્યાંથી લાવ્યા અને અન્ય કોઈ લોકો આ કાળાબજારીમાં સંકળાયેલા છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ઝાડપેલા આરોપીઓ દર્દીઓની મજબૂરીનો લાભ લઈ એક રેમડેસીવીર વાઈલ 25000 જેટલી રકમમાં વેચતા હતા’

 

સાબરકાંઠા જિલ્લામાં પણ રેમડેવિસિવર ઈન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. દર્દીઓના સગા પણ દરદર ભટકીને ઇંજેકશન શોધી રહ્યા છે, પરંતુ એમ છતાં પણ તેનો ઉકેલ આવી રહ્યો નથી. ત્યા આવી કપરી સ્થિતીનો લાભ ઉઠાવીને કેટલાક શખ્સો રુપિયા કમાઈ લેવાના સમય તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

 

હિંમતનગર શહેરમાં આ બીજી ઘટના છે કે જેમાં રેમડેવિસિર ઈંજેક્શનને કાળાબજારી કરતી ઝડપવામાં આવી હોય. આ પહેલા પણ હિંમતનગર શહેરમાં એક રાજકીય અગ્રણીના જમાઈની હોસ્પીટલમાંથી પણ ઈંજેકશન દર્દીઓને કાળા બજારી કરાતી હોવાનો ફોડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાડ્યો હતો. ત્યારબાદ હવે હવે વધુ એક કાળાબજારી સામે આવી છે.

 

પકડાયેલા આરોપીઓ

1.ઉત્તમ જયંતીભાઈ સોલંકી

2.દિનેશ જીવાભાઈ વણકર

3.પિયુષ અંબાલાલ પટેલ

4.કમલેશ ધર્માંભાઈ રાઠોડ  તેમજ અન્ય એક સચિન નામનો શખ્શ જેની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 

આ પણ વાંચો: CM રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય, COVID-19 સારવાર માટે ઉપયોગમાં લેવાતી સાધન-સામગ્રીની આયાત પરનો IGST TAX રાજ્ય સરકાર ભોગવશે

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">