PM Modi ના હિંમતનગરમાં આગમનને લઈ તૈયારીઓ પૂરજોશમાં, કાર્યક્રમ સ્થળ નિરીક્ષણ બાદ સહકાર પ્રધાને સમીક્ષા બેઠક યોજી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની મુલાકાતને લઈ રાજ્યના સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં અધિકારીઓ અને પદાધીકારીઓ સહિત સાબરડેરી અને અમૂલના અધિકારી અને ડીરેક્ટરો સહિતની બેઠક યોજવામાં આવી હતી.

PM Modi ના હિંમતનગરમાં આગમનને લઈ તૈયારીઓ પૂરજોશમાં, કાર્યક્રમ સ્થળ નિરીક્ષણ બાદ સહકાર પ્રધાને સમીક્ષા બેઠક યોજી
PM Modi ના કાર્યક્રમને લઈ સમીક્ષા બેઠક યોજી
Follow Us:
| Updated on: Jul 25, 2022 | 9:09 PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આગામી 28 જુલાઈએ આવનાર છે. વડાપ્રધાન મોદી (PM Modi) ના હસ્તે સાબરડેરીના 1130 કરોડ રુપિયાના ખર્ચના નવા કાર્યોનુ ખાતમૂર્હત અને લોકાર્પણ થનાર છે. આ માટે ગઢોડા નજીક વિશાળ ટેન્ટ બાંધવા સહિત તમામ તૈયારીઓ પુરા જોરશોરથી ચાલી રહી છે. એક બાદ એક રાજ્યના પ્રધાન અને અધીકારીઓની બેઠકો યોજવામાં આવી રહી અને તૈયારીઓને પૂર્ણ કરવા રાત દીવસ કાર્યનો ધમધમાટ થઈ રહ્યો છે. સોમવારે આ માટે સાબરડેરી (Sabar Dairy) ખાતે રાજ્યના સહકારી પ્રધાન જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી અને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

સાબરડેરી દ્વારા 305 કરોડ રુપિયાના ખર્ચે વિશાળ મિલ્ક પાવડર પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ 125 કરોડ રુપિયાના ખર્ચે ટેટ્રાપેક માટેનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે બંનેનુ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. જ્યારે 600 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર થનારા ચીઝ પ્લાન્ટનુ વડાપ્રધાનના હસ્તે ખાતમૂર્હત કરવામાં આવશે. સાબરડેરી દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ દુધની બનાવટોનુ ઉત્પાદન કરે છે. રાજ્યની મહત્વની દુધ ડેરી અને દુધની બનાવટોનુ ઉત્પાદન કરે છે.

દૂધ ઉત્પાદક મહિલાઓને સંબોધન કરશે

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં સુકન્યા યોજના અન્વયે દિકરીઓના ખાતા ખોલવામાં આવશે. તેમજ પશુપાલન દ્વારા મહત્તમ દુધ ઉત્પાદન કરનાર મહિલા દુધ ઉત્પાદકનુ સન્માન વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. આ દરમિયાન વડાપ્રધાન સ્થાનિક પ્રગતિશીલ મહિલા ખેડૂતો અને આદીવાસી મહિલા દૂધ ઉત્પાદકો સાથે મુલાકાત કરશે. ગઢોડા પાસે તૈયાર થઈ રહેલા વિશાળ ટેન્ટમાં મોટી સંખ્યામાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદક મહિલાઓને વડાપ્રધાન મોદી સંબોધન કરશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જિલ્લાના પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોર સાથે ગઢોડા ખાતે યોજાનાર સભાનુ સ્થળ, હેલીપેડ અને સાબર ડેરી ખાતે મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ પહેલા એસપીજી એ પણ વડાપ્રધાનના કાર્યક્રમને લઈ રૂટ અને સ્થળનુ નિરીક્ષણ કર્યુ હતુ. કાર્યક્રમમાં આવનાર દૂધ ઉત્પાદક મહિલાઓ અને ખેડૂતોને સરળતા રહે એ માટે તમામ બાબતનુ પણ નિરીક્ષણ કરીને સ્થાનિક અધિકારીઓને સૂચનાઓ આપી હતી. બેઠકમાં અમૂલ ફેડરેશન અને સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, સ્થાનિક  જિલ્લાના પદાધીકારીઓ અને મહેસૂલ અને પોલીસના ઉચ્ચ અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એમ હિંમતનગર માહિતિ વિભાગે જણાવ્યુ હતુ.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">