Sabarkantha: ઈડર પંથકમાં સૂર્યમુખીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ બિયારણની તપાસની માંગ કરી, લાખ્ખોનુ નુકશાન વેઠવાની સ્થિતી

રાજકોટ (Rajkot) ના વેપારીઓએ સ્થાનિક ખેડૂતોને મોટા પ્રમાણમાં બિયારણ પધરાવ્યુ હતુ, વળતરની માંગ સાથે ખેડૂતોએ હવે કલેકટર અને ખેતીવાડી વિભાગને ફરીયાદ કરી

Sabarkantha: ઈડર પંથકમાં સૂર્યમુખીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ બિયારણની તપાસની માંગ કરી, લાખ્ખોનુ નુકશાન વેઠવાની સ્થિતી
Sunflower નુ બિયારણ શંકાસ્પદ હોવાની ફરીયાદ
Follow Us:
| Updated on: Jun 01, 2022 | 9:28 PM

એક તરફ શંકાસ્પદ બિયારણને લઈને રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા સાબરકાંઠા (Sabarkantha) સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ ખેડૂતો છેતરાઈ જવાની ફરીયાદો ઉઠી રહી છે. જોકે તેમ છતાં નક્કર પગલા ભરાતા નથી. સુર્યમુખી (Sunflower) નુ બિયારણ શંકાસ્પદ નિકળવાને લઈ પાક નિષ્ફળ જવાની ફરીયાદ ઉઠી છે. આ અંગે ખેડૂતોએ સાબરકાંઠા જિલ્લાના કલેકટર અને ખેતીવાડી વિભાગ (Department of Agriculture) ને પણ જાણ કરી છે અને બિયારણની તપાસ કરવા સાથે ખેડૂતોને થયેલા નુકશાનનુ વળતર માંગવામાં આવ્યુ છે. જોકે આ મામલે હવે ખેતીવાડી વિભાગ દ્વારા નિષ્ણાંતોને બોલાવીને 9મી જૂને સ્થળ તપાસની કાર્યવાહી હાથ ધરશે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ખેડૂતો પરેશાન બન્યા છે ખાસ કરીને સૂર્યમુખીની ખેતી કરનાર ખેડૂતો શંકાસ્પદ કારણે છેલ્લા કેટલાક મહિનાની મહેનત ને નિષ્ફળ જવાથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ બાબતે સ્થાનિક કલેક્ટર અને જિલ્લા ખેતીવાડી વિભાગની પણ બિયારણની તપાસ કરવા માટે માંગ કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા બિયારણનું વેચાણ કરનાર વહેપારીઓ અને તેનું ઉત્પાદન કરનારાઓ સામે તપાસ કરી બિયારણને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી રજૂઆત સાબરકાંઠા કલેકટરને કરવામાં આવી છે.

ઈડરના પૃથ્વીપુરા અને તેની આસપાસના વિસ્તારના ગામડાઓ લાલપુર, ભાણપુર સહિતના વિસ્તારના ખેડૂતોએ આ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિક મોટા ભાગના ખેડૂતોને રાજકોટના વેપારીઓએ સૂર્યમુખીના બિયારણનુ વેચાણ કરેલ હતુ. ત્યારબાદ સૂર્યમુખીના પાકનુ વાવેતર કરીને તેની માવજત કરી હતી. પરંતુ લાંબો સમય પાકની માવજત કરવા છતાં પણ સૂર્યમુખી નો પાકનુ યોગ્ય ફ્લાવરીંગ થયુ નહોતુ. આમ પાક નિષ્ફળ નિવડતા ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ખેડૂતોની વેદના

પ્રકાશભાઈ પટેલે કહ્યુ, ખેતરમાં અમે પાકનુ વાવેતર કરેલ હતુ તેની યોગ્ય માવજત છતા પણ પાક પર યોગ્ય ફ્લાવરીંગ નહીં થવાને લઈને નુકશાન વેઠવુ પડ્યુ છે. અમે આ અંગે રજુઆતો પણ કરી છે. બીજા એક ખેડૂત કેતુલ પટેલ અમે રાજકોટના વેપારીઓ પાસેથી બિયારણ ખરીદીને વાવેતર કરેલ હતુ, પરંતુ પાકનુ ઉત્પાદન યોગ્ય રીતે થઈ શક્યુ નથી. જેથી અમે વળતરની માંગ કરી છે. અમારો આખો પાક નિષ્ફળ ગયો છે.

સ્થાનિક ખેડૂતો દ્વારા અંદાજે પોણા 200 હેક્ટર વિસ્તારમાં સૂર્યમુખીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્રણેક માસ મહેનત કરવા છતાં પાકનુ ઉત્પાદન થઈ શક્યું હતું. આમ વિસ્તારના ખેડૂતોને પાકની સ્થિતિ જોઈ ચહેરા નિરાશ બની ગયા હતા. આ મામલે બિયારણનું વેચાણ કરનાર વેપારીઓને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં વેપારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને લઇ ખેડૂતોમાં રોષ વ્યાપ્યો હતો. ખેડૂતો દ્વારા વેપારીઓનો સંપર્ક કરવા છતાં પણ કોઈ યોગ્ય પ્રકારે જવાબ નહોતો મળી રહ્યો. આખરે ખેડૂતોએ ચોમાસુ સિઝનની તૈયારી કરવા માટે નિષ્ફળ પાકને પોતાના ખેતરમાંથી રોટરી ચલાવી હટાવી દેવા મજબૂર બનવું પડ્યું હતું. વિસ્તારના ખેડૂતોને લાખ્ખો રુપિાનુ સીધું નુકસાન પહોંચ્યુ છે.

આ પ્રકારે કરાશે કાર્યવાહી

ખેતીવાડી વિભાગે જણાવ્યુ હતુ કે, ખેડૂતોની રજૂઆત એવી છે કે, યોગ્ય પ્રમાણમાં ફ્લાવરીંગ થયેલ નથી. નિયત કરેલી ટીમ દ્વારા આવા કિસ્સામાં ડાયગ્નોસિસ કરવામાં આવે છે. આ અંગ અમે સંશોધન નિયામક દાંતીવાડા કૃષી યુનિવર્સિટીને મોકલી આપેલ છે. અમે 9મી જૂનના રોજ અમે સ્થળ તપાસ માટે ટીમ સાથે પહોંચીશુ. જે તપાસ બાદ આગળ કાર્યવાહી હાથ ધરીશુ. ખેડૂતોએ વળતરની માંગ કરેલ છે, જે તપાસ બાદ આગળ કાર્યવાહી કરાશે. સાબરકાંઠા જિલ્લાના મદદનીશ ખેતીવાડી અધિકારી હિતેશ પટેલે કહ્યુ હતુ, આ અંગે અમે સંશોધન નિયામક દાંતીવાડા કૃષી યુનિવર્સિટીને મોકલી આપેલ છે. અમે 9મી જૂનના રોજ અમે સ્થળ તપાસ માટે ટીમ સાથે પહોંચીશુ. જે તપાસ બાદ આગળ કાર્યવાહી હાથ ધરીશુ.

જોકે આ મામલે ખેડૂતો પણ હવે રાજકોટ વિસ્તારના વેપારીઓ સામે મોરચો માંડવા માટે તૈયાર થયા છે અને તેઓ આગામી દિવસોમાં વળતર માટે વેપારીઓ સામે આંદોલન શરુ કરશે, તેવી પણ ચિમકી ખેડૂતોએ ખેતીવાડી વિભાગને આપી છે. આમ હવે મહેનત પાણીમાં જતા ખેડૂતો રોષે ભરાયા છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">