હિંમતનગર ST ડેપોમાં સલામતીના નામે મીંડુ, CCTV કબૂતર ઘર બન્યા, પોલીસે ધ્યાન દોર્યુ છતાં તંત્રની આંખ ઉઘડતી નથી

દૈનિક 25 થી 30 હજાર લોકો બસ સ્ટેશનમાં મુસાફરીના હેતુથી અવર જવર કરતા હોવા છતાં સલામતી માટેની વ્યવસ્થા શૂન્ય છે, CCTV લાગલગાટ 2 વર્ષથી બંધ હાલતમાં છે અને હવે કબૂતર માટે ઘર બન્યા છે.

હિંમતનગર ST ડેપોમાં સલામતીના નામે મીંડુ, CCTV કબૂતર ઘર બન્યા, પોલીસે ધ્યાન દોર્યુ છતાં તંત્રની આંખ ઉઘડતી નથી
CCTV in Himmatnagar ST Depot off since 2 years
Follow Us:
| Updated on: Jan 13, 2023 | 10:37 PM

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલ એસટી બસ ડેપોમાં પ્રતિદિવસ 30 હજારથી વધારે મુસાફરોની અવરજવર રહેતી હોય છે. અહીં ભારે ભીડ રહેવા છતાં ડેપોમાં લગાવેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. આ માટે પોલીસ દ્વારા તેને ફરીથી શરુ કરવા માટે પણ જાણ કરાઈ છે. તેમ છતાં હજુ બંધ હાલતમાં છે. એસટી ડેપોમાં આંતર રાજ્ય બસોની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય છે, જેમાં મોટી સંખ્યામાં રાજ્ય બહારથી મુસાફરો પણ આવ જા કરતા હોય છે.

વહેપારીઓ અને વિદ્યાર્થીઓ પણ હિંમતનગર એસટી બસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં મુસાફરીના હેતુથી અવરજવર કરતા હોય છે. કોઈના કિંમતી ઘરેણાનુ જોખમ રહેલુ હોય છે. તો વળી વિદ્યાર્થીઓને અસામાજીક તત્વો દ્વારા પરેશાની કરવાની ઘટનાઓ અનેકવાર બની છે. મહિલાઓના શૌચાલયમાં યુવાન ઘૂસીની છેડતી કરવાની ઘટનામાં પોલીસને બોલાવવાની ઘટનાય અગાઉ નોંધાઈ છે.

તસ્કરોને મોકળુ મેદાન

હિંમતનગર એસટી ડેપોમાં રોજબરોજ 30 હજારથી વધારે સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય છે. તહેવારોમાં આ ભીડનો આંક વધી જતો હોય છે. સાથે જ 8 થી 10 હજાર જેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ અવરજવર કરતા હોય છે. જોકે બસ પ્લેટફોર્મ પર આવે ત્યારે ભીડમાં તકનો લાભ ઉઠાવીને ચોરી આચરતા ઇસમો ચોરીને સરળતાથી અંજામ આપતા હોય છે. રોજબરોજ મુસાફરોના સામાનની ચોરી, પોકેટ ચોરી અને ખિસ્સા કપાવા એ સામાન્ય બાબત બની ચુકી છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ચોરી થવાથી પિડીત મુસાફરો પોલીસને જાણ કરતા હોય છે, પરંતુ પોલીસ પણ સીસીટીવી બંધ હોવાના કારણે આરોપી સુધી પહોંચવામાં સફળ રહેતી નથી. ત્યારે રોજબરોજ મુસાફરી કરતા વાહન ચાલકો સીસીટીવી કાર્યરત કરવા અને પોલીસ ચોકી બનાવવા માટે રજૂઆત પણ કરી ચૂક્યા છે. આમ છતાં હજુ કોઈ જ નિરાકરણ આવ્યુ નથી.

ડેપોએ ઉચ્ચ સ્તરે જાણ કરી, જવાબની રાહ જોવાઈ રહી છે

હિંમતનગર બસ ડેપોમાં ચોરીના બનાવો અટકાવવા માટે વર્ષો અગાઉ 10 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ છેલ્લા બે વર્ષ જેટલા સમયથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. જોકે સીસીટીવી બંધ હોવાનુ જગજાહેર છે અને તે કેમેરા જોઈને જ ખ્યાલ આવી જાય એમ છે. જેને લઈ ચોરીઓ આચરતા તસ્કરો કોઈના ડર વિના ચોરી આચરી રહ્યાં છે. હિંમતનગર ડેપો મેનેજરે કહ્યુ હતુ કે, ડેપો મેનેજર ચેતન પટેલે ટીવી9 સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, પોલીસ દ્વારા અમને આ અંગે જાણ કરવામાં આવી છે. સીસીટીવી કાર્યરત કરવા અંગે કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે ઉચ્ચ સ્તરે લેખિત પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">