રાજકોટથી સોમનાથ સુધીના નેશનલ હાઈવેમાં ખાડે જ ખાડા, ટોલટેક્ષ ઉધરાવતી કંપનીને નથી દેખાતા ખાડા
હાઈવે ઉપર ટોલ ટેક્સ ઉધરાવતી કંપનીની જવાબદારી રોડની સ્થિતિ સારી રાખવાની પણ છે. પરંતુ રાજકોટથી સોમનાથ સુધીના નેશનલ હાઈવેની સ્થિતિ ખાડે ગયેલી છે. વરસાદથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. વાહનચાલકો પાસેથી મોટો ટોલટેક્સ વસુલતી કંપનીઓને આ ખાડા દેખાતા જ નથી તેમને તો વાહન ચાલક પાસેથી ટોલ વસૂલવામાં જ રસ હોય તેવી […]
હાઈવે ઉપર ટોલ ટેક્સ ઉધરાવતી કંપનીની જવાબદારી રોડની સ્થિતિ સારી રાખવાની પણ છે. પરંતુ રાજકોટથી સોમનાથ સુધીના નેશનલ હાઈવેની સ્થિતિ ખાડે ગયેલી છે. વરસાદથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. વાહનચાલકો પાસેથી મોટો ટોલટેક્સ વસુલતી કંપનીઓને આ ખાડા દેખાતા જ નથી તેમને તો વાહન ચાલક પાસેથી ટોલ વસૂલવામાં જ રસ હોય તેવી સ્થિતિ છે. રાજકોટથી સોમનાથ નેશનલ હાઈવેમાં વેરાવળથી સોમનાથ જવાનો માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળે છે. આ રોડ ઉપરથી પસાર થનારા વાહનની સાથે વાહનમાં સવાર મુસાફરોની કમર સહીત શરીરના અન્ય કોઈ અંગને ઈજા કે નુકસાન ના થાય તેના માટે વીમો લેવો પડે તેવી સ્થિતિ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો