દારુના અડ્ડાઓ પર રેડ પાડવા આદેશ છતાં અહીંયા સ્થાનિકોને દારુ બંધ કરાવવા પોલીસ સ્ટેશનને રજૂઆત કરવી પડી રહી છે!
ગુજરાતમાં દારુના અડ્ડાઓ અને જૂગારધામોને બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ડીજીપી શિવાનંદ ઝાએ આદેશ આપીને આખા ગુજરાતમાં એક સપ્તાહ સુધી દરોડા પાડવા કહ્યું છે તો પણ સુરેન્દ્રનગરના દૂધરેજીના વહાણવટીનગર ખાતે મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જઈને દારુ બંધ કરાવવાની રજૂઆત કરવી પડી રહી છે. મહિલાઓનો આક્ષેપ છે તેમના વિસ્તારમાં ધોમધોકાર દારુનું વેચાણ થાય છે અને […]
ગુજરાતમાં દારુના અડ્ડાઓ અને જૂગારધામોને બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ડીજીપી શિવાનંદ ઝાએ આદેશ આપીને આખા ગુજરાતમાં એક સપ્તાહ સુધી દરોડા પાડવા કહ્યું છે તો પણ સુરેન્દ્રનગરના દૂધરેજીના વહાણવટીનગર ખાતે મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જઈને દારુ બંધ કરાવવાની રજૂઆત કરવી પડી રહી છે. મહિલાઓનો આક્ષેપ છે તેમના વિસ્તારમાં ધોમધોકાર દારુનું વેચાણ થાય છે અને બાદમાં નશામાં દારુ પીધેલાં લોકો યુવતીઓની છેડતી કરે છે.
આ પણ વાંચો: જાણો અમદાવાદના સોલા અને સેટેલાઈટ વિસ્તારના PIને કેમ કરાયા સસ્પેન્ડ?
આમ ગુજરાતમાં એક તરફ રેડ પાડીને દારુના અડ્ડાઓનું નામનિશાન મીટાવી દેવા માટે આદેશ આપવામાં આવ્યો છે તો બીજી બાજુ આ લોકોને પોલીસ સ્ટેશનમાં જઈને ફરીયાદ કરવી પડે છે કે તેના વિસ્તારમાં વેચાતા દારુ,ગાંજા પર લગામ કસવામાં આવે. પોલીસ અધિકારીએ આ વાતને લઈને કહ્યું કે આ તો પ્રથમ વખત આવી કોઈ રજૂઆત લઈને આવ્યા છે.