વનપ્રધાન રમણ પાટકરના બફાટ બાદ કોંગ્રેસનો પલટવાર, કેસરી ખેસ પહેરનારને મળે છે ભ્રષ્ટાચારનો પીળો પરવાનો : પરેશ ધાનાણી
રાજ્યના વન અને આદિજાતિ પ્રધાને કરેલા બફાટ બાદ કોંગ્રેસ આક્રમક મોડમાં આવી છે. કરજણમાં પરેશ ધાનાણીએ રાજ્યપ્રધાન રમણ પાટકરના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે, પાટકરના નિવેદન પરથી સ્પષ્ટ થાય છેકે વિપક્ષના ધારાસભ્યને ઓછી ગ્રાન્ટ મળે છે. ધાનાણીએ વધુમાં કહ્યું કે આજે ભાજપના ધારાસભ્યએ જ સાબિત કરી દીધું છે કે કેસરી ખેસ ધારણ કરનાર ધારાસભ્યોને […]
રાજ્યના વન અને આદિજાતિ પ્રધાને કરેલા બફાટ બાદ કોંગ્રેસ આક્રમક મોડમાં આવી છે. કરજણમાં પરેશ ધાનાણીએ રાજ્યપ્રધાન રમણ પાટકરના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે, પાટકરના નિવેદન પરથી સ્પષ્ટ થાય છેકે વિપક્ષના ધારાસભ્યને ઓછી ગ્રાન્ટ મળે છે. ધાનાણીએ વધુમાં કહ્યું કે આજે ભાજપના ધારાસભ્યએ જ સાબિત કરી દીધું છે કે કેસરી ખેસ ધારણ કરનાર ધારાસભ્યોને ભ્રષ્ટાચાર કરવાનો પીળો પરવાનો મળી જાય છે. અને વિપક્ષના અવાજને દબાવીને ભાજપ લોકશાહીના મૂલ્યોની હત્યા કરવામાં આવે છે. વધુમાં શું બોલ્યા પરેશ ધાનાણી સાંભળો આ વીડિયોમાં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો