કોરોનાના રોગચાળાએ રાજ્યના શિક્ષણ ક્ષેત્રને વધુ એક ફટકો માર્યો, રાજ્યની સરકારી શાળામાં અર્ધ વાર્ષિક કસોટી નહી લેવાય, શિક્ષણ વિભાગે લીધો નિર્ણય
રાજ્યની સરકારી શાળામાં અર્ધ વાર્ષિક કસોટી ન યોજાવાનો નિર્ણય શિક્ષણ વિભાગે લીધો છે. દર વર્ષે દિવાળી પહેલાં અર્ધ વાર્ષિક કસોટીનું આયોજન શાળાઓમાં કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીના કારણે એકમ કસોટી આધારે વિદ્યાર્થીઓનું વાર્ષિક મુલ્યાંકન કરાશે. આ પહેલા સરકારે આ પ્રકારની પરીક્ષા યોજવા માટે દરેક ઘરે-ઘરે પેપર પહોંચાડવાનું આયોજન કર્યુ હતુ, પરંતુ હવે […]
રાજ્યની સરકારી શાળામાં અર્ધ વાર્ષિક કસોટી ન યોજાવાનો નિર્ણય શિક્ષણ વિભાગે લીધો છે. દર વર્ષે દિવાળી પહેલાં અર્ધ વાર્ષિક કસોટીનું આયોજન શાળાઓમાં કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીના કારણે એકમ કસોટી આધારે વિદ્યાર્થીઓનું વાર્ષિક મુલ્યાંકન કરાશે. આ પહેલા સરકારે આ પ્રકારની પરીક્ષા યોજવા માટે દરેક ઘરે-ઘરે પેપર પહોંચાડવાનું આયોજન કર્યુ હતુ, પરંતુ હવે પરીક્ષા જ રદ થતાં આ પગલું પણ મોકૂફ રાખવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગના હસ્તકની સરકારી સ્કૂલો એકમ કસોટીના આધારે વિદ્યાર્થીઓનું વાર્ષિક મૂલ્યાંકન કરશે. આમ કોરોનાના રોગચાળાએ રાજ્યના શિક્ષણ ક્ષેત્રને વધુ એક ફટકો માર્યો છે. સામાન્ય રીતે સરકારી શાળાઓમાં દર વર્ષે નવરાત્રિ પછી અને દિવાળી પહેલાં અર્ધવાર્ષિક પરીક્ષાઓ યોજાતી હોય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો