રાજયમાં પાછલા 24 કલાકમાં કુલ 1,515 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 9 દર્દીના થયા મોત
રાજ્યમાં દિવાળી બાદ કોરોના બોમ્બ ફૂટ્યો છે. અનેપોઝિટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1,515 પોઝિટિવ કેસ નોંધાયા. તો 9 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 95 હજાર 917ને પાર પહોંચી છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,846 પર પહોંચ્યો છે. જ્યારે […]
રાજ્યમાં દિવાળી બાદ કોરોના બોમ્બ ફૂટ્યો છે. અનેપોઝિટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1,515 પોઝિટિવ કેસ નોંધાયા. તો 9 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 95 હજાર 917ને પાર પહોંચી છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,846 પર પહોંચ્યો છે. જ્યારે 1,271 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 78 હજાર 786 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો. તો હજુ પણ 95 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ. તો અમદાવાદ શહેરમાં નવા 354 પોઝિટિવ કેસ સાથે 5 દર્દીઓએ જીવ ગુમાવ્યો. જ્યારે સુરત શહેરમાં 2 દર્દીના મોત સાથે 211 પોઝિટિવ કેસ નોંધાયા. તો રાજકોટ શહેરમાં નવા 89 પોઝિટિવ કેસ સાથે એક દર્દીનું મોત નિપજ્યું. તો વડોદરા શહેરમાં નવા 125 પોઝિટિવ કેસ નોંધાયા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો