રાજયમાં કોરોનાનો કેર યથાવત, પાછલા 24 કલાકમાં 1,512 પોઝિટિવ કેસ, 14 દર્દીના મોત
રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે.પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1,512 પોઝિટિવ કેસ નોંધાવાની સાથે 14 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 12 હજાર 769ને પાર પહોંચી છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,018 પર પહોંચ્યો છે. જ્યારે 1,570 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 93 […]
રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે.પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1,512 પોઝિટિવ કેસ નોંધાવાની સાથે 14 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 12 હજાર 769ને પાર પહોંચી છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,018 પર પહોંચ્યો છે. જ્યારે 1,570 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 93 હજાર 938 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો. તો 14,813 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.જ્યારે હજુ પણ 93 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ તો અમદાવાદમાં નવા 325 પોઝિટિવ કેસ સાથે 8 દર્દીઓએ જીવ ગુમાવ્યો. જ્યારે સુરતમાં 3 દર્દીના મોત સાથે 252 પોઝિટિવ કેસ નોંધાયા. ગાંધીનગરમાં 1 દર્દીના મોત સાથે 62 પોઝિટિવ કેસ નોંધાયા.તો રાજકોટમાં 1 દર્દીના મોત સાથે 156 કેસ નોંધાયા. તો સાબરકાંઠામાં પણ 1 દર્દીના મોત સાથે 18 પોઝિટિવ કેસ નોંધાયા.
તો આ તરફ અમદાવાદમાં પણ કોરોના પોઝિટિવ કેસનો આંક વધી રહ્યો છે.અમદાવાદ શહેર જિલ્લામાં પાછલા 24 કલાકમાં વધુ 325 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 8 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા. અમદાવાદ શહેરમાં 302 પોઝિટિવ કેસ નોંધાવાની સાથે 309 દર્દીઓ સાજા થયા.તો અમદાવાદ જિલ્લામાં 23 દર્દીઓ સંક્રમિત થવાની સાથે 21 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો