RAJKOT : કોરોનાએ કરી માઠી દશા,દોઢ વર્ષથી બંધ પડેલા વોટરપાર્કથી 3 કરોડનું નુકસાન,પાંચ વર્ષની કમાણી ગુમાવી

વોટરપાર્કના સંચાલક પુજારીના કહેવા પ્રમાણે પાંચ વર્ષમાં જેટલી કમાણી કરી હતી તેનો ખર્ચ બે વર્ષ વોટરપાર્કની જાળવણીમાં થયો છે.હવે 5 લાખ રૂપિયા હશે ત્યારે વોટરપાર્ક શરૂ થશે.

RAJKOT : કોરોનાએ કરી માઠી દશા,દોઢ વર્ષથી બંધ પડેલા વોટરપાર્કથી 3 કરોડનું નુકસાન,પાંચ વર્ષની કમાણી ગુમાવી
Water park on Jamnagar Road in Rajkot has been closed for two years, causing a loss of Rs 3 crore
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 17, 2021 | 2:19 PM

RAJKOT : રાજ્ય સરકાર દ્વારા આજથી વોટરપાર્ક શરૂ કરવાની જાહેરાત કરવામાં છે. આ નિર્ણયને વોટરપાર્કના સંચાલકો આવકારી રહ્યા છે.જો કે વોટર પાર્કના સંચાલકો સરકાર દ્વારા આ નિર્ણય 15 દિવસ પહેલા લેવામાં આવ્યો હોત તો થોડો ફાયદો થાત તેવું કહેવામાં આવી રહ્યું છે .રાજકોટના જામનગર રોડ પર આવેલા વોટરપાર્કના સંચાલક પુજારીના કહેવા પ્રમાણે કોરોનાની મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી વોટરપાર્ક બંધ છે,જેના કારણે ઉનાળાની બે સિઝન વોટરપાર્ક બંધ રહ્યું છે,જેનો વોટરપાર્કના સંચાલકને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડ્યો છે.

બે વર્ષમાં 3 કરોડનું નુકસાન રાજકોટના જામનગર રોડ પર આવેલું વોટરપાર્ક બે સિઝન બંધ રહેતા 3 કરોડ રૂપિયાની નુકસાની થઇ છે.વોટરપાર્કના સંચાલક પુજારીના કહેવા પ્રમાણે પાંચ વર્ષમાં જેટલી કમાણી કરી હતી તેનો ખર્ચ બે વર્ષ વોટરપાર્કની જાળવણીમાં થયો છે.હવે 5 લાખ રૂપિયા હશે ત્યારે વોટરપાર્ક શરૂ થશે.

વોટરપાર્ક શરૂ કરવા 5 લાખની જરૂર પડશે વોટરપાર્કના સંચાલક પુજારીના કહેવા પ્રમાણે સરકાર દ્વારા વોટરપાર્ક શરૂ કરવાની છુટ આપવામાં આવી છે.જો કે દોઢ વર્ષથી વોટરપાર્ક બંધ થવાને કારણે મેન્ટેન્સ અને કર્મચારીઓની ભરતી,સાફ સફાઇ માટે 5 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે ત્યારે વોટરપાર્ક શરૂ થશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ત્રીજી લહેરની આશંકાને પગલે લોકો આવશે કે કેમ તે મોટો સવાલ  વોટરપાર્કના સંચાલક પુજારીએ કહ્યું હતુ કે રાજ્ય સરકારે શરૂ કરવાની જાહેરાત કરી છે પરંતુ ત્રીજી વેવને કારણે લોકો હજુ સાવચેતી રાખી રહ્યા છે અને કોરોનાનો ડર પણ છે ત્યારે લોકો વોટરપાર્ક આવશે કે કેમ તે પણ એક સવાલ છે.જેથી વધારે ખર્ચ ન થાય તે માટે માત્ર બુધવાર,શનિવાર અને રવિવાર ચલાવવામાં આવશે.

આ પણ વાંચો : GUJARAT : કોરોનાકાળમાં ફૂટી નીકળ્યા નકલી તબીબો, રાજ્યમાં છેલ્લા 3 માસમાં 228 બોગસ તબીબો પકડાયા

આ પણ વાંચો : RAJKOT : મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ 6 હજાર યુવાનોને રોજગાર અપાશે, કલેક્ટર-ઉદ્યોગ સેક્ટરના અધિકારીઓની બેઠક મળી 

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">