RAJKOT : કોરોનાએ કરી માઠી દશા,દોઢ વર્ષથી બંધ પડેલા વોટરપાર્કથી 3 કરોડનું નુકસાન,પાંચ વર્ષની કમાણી ગુમાવી
વોટરપાર્કના સંચાલક પુજારીના કહેવા પ્રમાણે પાંચ વર્ષમાં જેટલી કમાણી કરી હતી તેનો ખર્ચ બે વર્ષ વોટરપાર્કની જાળવણીમાં થયો છે.હવે 5 લાખ રૂપિયા હશે ત્યારે વોટરપાર્ક શરૂ થશે.
RAJKOT : રાજ્ય સરકાર દ્વારા આજથી વોટરપાર્ક શરૂ કરવાની જાહેરાત કરવામાં છે. આ નિર્ણયને વોટરપાર્કના સંચાલકો આવકારી રહ્યા છે.જો કે વોટર પાર્કના સંચાલકો સરકાર દ્વારા આ નિર્ણય 15 દિવસ પહેલા લેવામાં આવ્યો હોત તો થોડો ફાયદો થાત તેવું કહેવામાં આવી રહ્યું છે .રાજકોટના જામનગર રોડ પર આવેલા વોટરપાર્કના સંચાલક પુજારીના કહેવા પ્રમાણે કોરોનાની મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી વોટરપાર્ક બંધ છે,જેના કારણે ઉનાળાની બે સિઝન વોટરપાર્ક બંધ રહ્યું છે,જેનો વોટરપાર્કના સંચાલકને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડ્યો છે.
બે વર્ષમાં 3 કરોડનું નુકસાન રાજકોટના જામનગર રોડ પર આવેલું વોટરપાર્ક બે સિઝન બંધ રહેતા 3 કરોડ રૂપિયાની નુકસાની થઇ છે.વોટરપાર્કના સંચાલક પુજારીના કહેવા પ્રમાણે પાંચ વર્ષમાં જેટલી કમાણી કરી હતી તેનો ખર્ચ બે વર્ષ વોટરપાર્કની જાળવણીમાં થયો છે.હવે 5 લાખ રૂપિયા હશે ત્યારે વોટરપાર્ક શરૂ થશે.
વોટરપાર્ક શરૂ કરવા 5 લાખની જરૂર પડશે વોટરપાર્કના સંચાલક પુજારીના કહેવા પ્રમાણે સરકાર દ્વારા વોટરપાર્ક શરૂ કરવાની છુટ આપવામાં આવી છે.જો કે દોઢ વર્ષથી વોટરપાર્ક બંધ થવાને કારણે મેન્ટેન્સ અને કર્મચારીઓની ભરતી,સાફ સફાઇ માટે 5 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે ત્યારે વોટરપાર્ક શરૂ થશે.
ત્રીજી લહેરની આશંકાને પગલે લોકો આવશે કે કેમ તે મોટો સવાલ વોટરપાર્કના સંચાલક પુજારીએ કહ્યું હતુ કે રાજ્ય સરકારે શરૂ કરવાની જાહેરાત કરી છે પરંતુ ત્રીજી વેવને કારણે લોકો હજુ સાવચેતી રાખી રહ્યા છે અને કોરોનાનો ડર પણ છે ત્યારે લોકો વોટરપાર્ક આવશે કે કેમ તે પણ એક સવાલ છે.જેથી વધારે ખર્ચ ન થાય તે માટે માત્ર બુધવાર,શનિવાર અને રવિવાર ચલાવવામાં આવશે.