હિન્દુત્વ અંગેના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પર વજુભાઇ વાળાએ આપી કંઇક આવી પ્રતિક્રિયા

હિન્દુત્વ અંગે નિતીન પટેલે આપેલા નિવેદન અંગે વજુભાઇ વાળાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે નિતીન પટેલે આપેલું નિવેદન તેમનું વ્યક્તિગત છે.હું કોઇના નિવેદનના વખાણ પણ કરતો નથી અને કોઇના નિવેદનનો વિરોધ પણ કરતો નથી.

હિન્દુત્વ અંગેના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પર વજુભાઇ વાળાએ આપી કંઇક આવી પ્રતિક્રિયા
Vajubhai Vala responds to Gujarat Deputy Chief Minister Nitin Patel statement on Hindutva (File Image)
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 30, 2021 | 6:28 PM

જન્માષ્ટમી પર્વ નિમિત્તે સોમવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ આ યાત્રા પહેલા યોજાયેલી ધર્મ સભામાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના સિનીયર આગેવાન વજુભાઇ વાળા પણ ઉપસ્થિત રહ્યા હતા.વજુભાઇ વાળાએ પોતાના વકતવ્યમાં ગૌ માતાનું સંવર્ધન કરવા અને આતંકવાદ જેવી આસુરી શક્તિઓ સામે એકજુટ થવાની અપીલ કરી હતી.

તેમજ તાજેતરમાં હિન્દુત્વ અંગે નીતિન પટેલે  આપેલા નિવેદન અંગે વજુભાઇ વાળાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે નીતિન પટેલે  આપેલું નિવેદન તેમનું વ્યક્તિગત છે.હું કોઇના નિવેદનના વખાણ પણ કરતો નથી અને કોઇના નિવેદનનો વિરોધ પણ કરતો નથી..

અફધાનિસ્તાન મુદ્દે સરકાર ગંભીર-વાળા આ કાર્યક્રમમાં ઉપસ્થિત વજુભાઇ વાળાએ કહ્યું હતુ કે અફધાનિસ્તાનમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તે ગંભીર છે આ અંગે કેન્દ્ર સરકાર ગંભીર છે અને યોગ્ય પગલાં ઉઠાવી રહી છે.વજુભાઇ વાળાએ એમપણ કહ્યું હતુ કે વિશ્વમાં આતંકવાદ એક પડકાર છે અને તેની સામે આપણે એકજુટ થઇને લડવું જરૂરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

દેશના યુવાનો આગળ આવે અને આતંકવાદ અને તેના જેવી આસુરી શક્તિઓનો આપણે નાશ કરવો જોઇએ.તેમણે કહ્યું હતુ કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તેઓ આપણા દેશના લોકોને આવી શક્તિઓ સામે લડવાની શક્તિ આપે..

કોવિડ ગાઇડલાઇન પ્રમાણે યોજાય હતી શોભાયાત્રા

જન્માષ્ટમી પર્વ પર યોજાયેલી આ શોભાયાત્રા કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે યોજાય હતી જેમાં મુખ્ય રથની સાથે માત્ર ચાર વાહનો રાખવામાં આવ્યા હતા સાથે સાથે 200 લોકોની જ મંજૂરી આપવામાં આવી હતી.જે લોકો ઉપસ્થિત રહ્યા હતા તેઓ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

કોરોનાના કારણે શોભાયાત્રાનો રૂટ 18 કિલોમીટરથી ઘટાડીને માત્ર પાંચ કિલોમીટરનો કરી દેવામાં આવ્યો હતો.આ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે 1200 જેટલા પોલીસ જવાનોએ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

આ પણ વાંચો : Gujarat : વરસાદ ખેંચાતા સિંચાઇ સહિત પીવાના પાણીની સમસ્યા, ખેતીના પાકને નુકસાનની ભીતિ

આ પણ વાંચો : Ahmedabad : ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીને લઇને ઉત્સાહનો માહોલ, ભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">