ગુજરાતમાં હવે માવઠાની મુસીબત થશે દૂર, તાપમાન વધતા બેવડી ઋતુનો થશે અનુભવ

ચોમાસાની (Monsoon 2022) ઋતુ સત્તાવાર પૂર્ણ થઈ હોવાનું જાહેર કરાયું છે, પરંતુ રાજ્યમાં છેલ્લા ત્રણ- ચાર દિવસથી અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. તો આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમાં હવે માવઠાની મુસીબત થશે દૂર, તાપમાન વધતા બેવડી ઋતુનો થશે અનુભવ
ગુજરાતમાં હવે કમોસમી વરસાદની મુસીબત પણ ટળી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2022 | 5:03 PM

રાજ્યભરમાંથી ચોમાસાની (Monsoon 2022) વિદાય સાથે હવે કમોસમી વરસાદની (Rain) સંભાવના નહીવત રહી છે. જો કે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા વાદળછાયું વાતાવરણની આગાહી કરવામાં આવી છે. સાથે જ ગરમીનો (Heat) પારો વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેને લોકોને પગલે બેવડી ઋુતું પણ અનુભવ થઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય તો થઇ ચુકી છે. જો કે છેલ્લા થોડા દિવસથી કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ખેડૂતોની (Farmers) મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતોનો તૈયાર થયેલો પાક પલળી ગયો છે.

ચોમાસાની (Monsoon 2022) ઋતુ સત્તાવાર પૂર્ણ થઈ હોવાનું જાહેર કરાયું છે, પરંતુ રાજ્યમાં છેલ્લા ત્રણ- ચાર દિવસથી અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. તો આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આજે દાંતા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જો કે વરસાદના પગલે ખેડૂતોના મગફળી અને કપાસના પાકને નુકસાન થઈ શકે છે. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ રાજકોટ જિલ્લાના જસદણમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે માર્કેટ યાર્ડમાં ખેડૂતોની જણસ પલળી ગઇ છે. 2 હજાર મણ કપાસ અને મગફળીની 700 ગુણી પલળી ગઇ છે. પતરાના શેડના અભાવે વરસાદી પાણીથી જણસ પલળતા નુકસાન થયુ છે.

વરસાદી માહોલ યથાવત રહેતા ખેડૂતોના ઊભા પાક (Crops) પર પાણી ફરી વળ્યું છે. કમોસમી વરસાદે ખેડૂતોની (Farmer) આશા પર કહેર વરસાવ્યો છે. નવસારી જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ગીર સોમનાથના ઊના (Una) અને ગીર ગઢડા પંથકમાં મેઘરાજા આફત બની વરસ્યા છે. ખેડૂતોની મગફળીના પાથરા પલળી ગયા છે. તો છોટાઉદેપુરમાં પણ સતત ત્રણ દિવસથી વરસાદ પડતા તુવેરના વાવેતરને નુકસાની પહોંચી છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ખેડૂતોને પણ નૂકસાન થવાની ભિતી

શનિવારે અને રવિવારે પણ મહીસાગર (mahisagar) જિલ્લાના કડાણા,વીરપુર,ખાનપુર,બાલાસિનોર અને લુણાવાડામાં વરસાદ વરસ્યો હતો. ખેડૂતોના ખેતરમાં રહેલા ડાગંર ,મકાઇ, શાકભાજી જેવા પાકોમાં નુકસાન થતા હાલ ખેડુતો ચિંતામાં મુકાયા છે. તો બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદી પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોને ખરીફ પાકના નુકસાનની ભિતી છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">