વડનગરથી લઇને દિલ્હી સુધીની સફર, રાજકોટમાં યોજાયું નરેન્દ્ર મોદીની જીવન યાત્રાનું પ્રદર્શન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમીતે આજે રાજ્યભરમાં મેગા વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે શહેરના 150 સેન્ટરોમાં 50 હજારથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવશે.

વડનગરથી લઇને દિલ્હી સુધીની સફર, રાજકોટમાં યોજાયું નરેન્દ્ર મોદીની જીવન યાત્રાનું પ્રદર્શન
The journey from Vadnagar to Delhi, an exhibition of Narendra Modi's life journey was held in Rajkot
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 17, 2021 | 2:53 PM

મોહનભાઇ હોલ ખાતે ત્રણ દિવસ સુધી રહેશે પ્રદર્શન, રાજકોટ બીજેપી દ્વારા આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના ચૌધરી હાઇસ્કૂલની સામે આવેલા મોહનભાઇ હોલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન ચરિત્ર આધારીત પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં પ્રધાનમંત્રીના જન્મસ્થળ વડનગરથી લઇને દિલ્હી દરબાર સુધીના તમામ ચિત્રો અને તેનું વિવરણ કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન આગામી ત્રણ દિવસ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદીને ઓળખે,તેના વિચારોને અપનાવે તે ઉદ્દેશ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમીતે અનેક સેવાકીય કાર્યક્રમોનું આયેજન કરવામાં આવ્યું છે.આ પ્રદર્શનને શહેરના તમામ 18 વોર્ડના કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરીકો નિહાળશે.આ કાર્યક્રમનો હેતુ કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદીના જીવન ચરિત્ર વિશે વાકેફ થાય તેને કરેલા વિકાસના કામો અને નિર્ણયોની માહિતી મેળવે તે હેતુથી આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. અને પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીનો રાજકોટ સાથે અનોખો નાતો-રાજુ ધ્રુવ

આ અંગે ભાજપના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રાજકોટ સાથે અનોખો નાતો છે. પ્રધાનમંત્રી પોતાના જીવનની પ્રથમ ચૂંટણી રાજકોટથી લડ્યાં હતા.રાજકોટના લોકો સાથે આજે પણ તેઓ લાગણીથી જોડાયેલા છે ત્યારે જ્યારે મોકો મળે ત્યારે રાજકોટને યાદ કરે છે.આ પ્રદર્શનથી કાર્યકર્તાઓમાં મોદીજી પ્રત્યે અને તેને કરેલા કામો પ્રત્યે આદર ભાવ પ્રગટ થશે.

આજના દિવસે વેક્સિન મહાઅભિયાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમીતે આજે રાજ્યભરમાં મેગા વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે શહેરના 150 સેન્ટરોમાં 50 હજારથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવશે.જો કોઇ સોસાયટીના 25થી વધુ લોકો હશે તો તેઓને પણ વેક્સિન આપવા માટે મોબાઇલ વાન મોકલવામાં આવશે.

આ પણ વાંચો : Namo@71 : રાહુલ ગાંધીએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કહ્યું,“Happy Birthday, Modi ji”

આ પણ વાંચો : Ganesh Chaturthi 2021 : રાજા જનકના કયા અહંકારને તોડવા ગણેશજીએ લીધો બ્રાહ્મણનો વેશ ? જાણો રસપ્રદ કથા

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">