Rajkot: 21 કરોડના ખર્ચે તૈયાર કરેલો અંડરબ્રિજ પાણીમાં! આમ્રપાલી અંડર બ્રિજમાં વગર વરસાદે પાણી ભરાયા

આમ્રપાલી બ્રિજની તિરાડોમાંથી પાણીનો ધોધ વહેવા લાગ્યો તેમજ દિવાલોની તિરાડની સાથે સાથે છત પરથી પણ પાણી ટપકતું જોવા મળ્યું હતુ. આ બ્રિજનું કામ એક વર્ષમાં પુરૂ થયુ હતુ,

Rajkot: 21 કરોડના ખર્ચે તૈયાર કરેલો અંડરબ્રિજ પાણીમાં! આમ્રપાલી અંડર બ્રિજમાં વગર વરસાદે પાણી ભરાયા
Amrapali UnderBridge
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 9:44 PM

રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા 21 કરોડ રૂપિયાના ખર્ચે આમ્રપાલી અંડરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે આ અંડરબ્રિજમાં વગર વરસાદે પાણીનો ધોધ વહી રહ્યો છે, જે નબળા કામની ચાળી ખાઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં શનિવાર અને રવિવારે બે દિવસ મળીને કુલ 4 ઈંચ જેટલો વરસાદ આવ્યો હતો અને આ ચાર ઈંચ વરસાદમાં જ તંત્રની પોલ ખૂલી ગઈ.

આમ્રપાલી બ્રિજની તિરાડોમાંથી પાણીનો ધોધ વહેવા લાગ્યો તેમજ દિવાલોની તિરાડની સાથે સાથે છત પરથી પણ પાણી ટપકતું જોવા મળ્યું હતુ. આ બ્રિજનું કામ એક વર્ષમાં પુરૂ થયુ હતુ, પરંતુ જે રીતે પાણી ભરાયું છે તેને જોતા આ કામગીરી સામે સવાલો થઈ રહ્યા છે. વગર વરસાદે પાણી ભરાવાને કારણે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

બ્રિજમાં પાણી નીકળવા અંગે રાજકોટના મેયર પ્રદિપ ડવે જણાવ્યું હતુ કે આમ્રપાલી અંડરબ્રિજના નિર્માણ અને તેની જાળવણીની જવાબદારી રેલવે પાસે છે. રાજકોટ મહારનગરપાલિકા દ્વારા આ કામગીરી રેલવેને સોંપવામાં આવી હતી. જો કે બ્રિજમાં પાણી પડતું હોવાની ફરિયાદ અંગે રેલવે વિભાગને જાણ કરવામાં આવશે અને તાત્કાલિક તેનું સમારકામ થાય તેવો આદેશ આપવામાં આવશે.

અગાઉ પણ વરસાદમાં બ્રિજમાં પાણી ભરાયું હતું

આમ્રપાલી બ્રિજ (Amrapali Bridge) તૈયાર થતાની સાથે જ બ્રિજમાં વરસાદી પાણી ભરાયું હતુ. એક રિક્ષાચાલક બ્રિજના આ ભરાયેલા પાણીથી રીક્ષા સાફ કરતો હોવાનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. જો કે ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્યાં પાણી ન ભરાય તે માટે વધારાના સબમર્સિબલ મોટર મૂકીને પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે પ્રશ્ન તો હલ થયો તેવામાં હવે નવો પ્રશ્ન આવીને ઉભો થયો અને આ વખતે બ્રિજની દિવાલોમાંથી પાણી નીકળતા તંત્ર સામે નવી મુસીબત આવી છે.

આ પણ વાંચો – jammu kashmir અમરનાથની પવિત્ર ગુફા નજીક વાદળ ફાટ્યુ, બીએસએફ-સીઆરપીએફના કેમ્પ નષ્ટ, જુઓ વીડિયો

આ પણ વાંચો – ગુજરાતમાં નૌસેના મથકથી ત્રણ કિલોમીટર સુધીમાં ઉડનારા ડ્રોનને ગોળી મારીને તોડી પડાશે, ભારતીય નૌસેનાએ આપી ચેતવણી

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">