Rajkot: લોકમેળાનું આયોજન તો કર્યું, પરંતુ કોરોનાના વધતા કેસે વધારી તંત્રની ચિંતા

તહેવારમાં લોકો પોતાના વતનમાં બહારથી પણ આવતા હોય છે, તેવા સમયે તેવા આરોગ્ય વિભાગે (Health department) સૌ કોઈને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે રહે તેવી અપીલ કરાવામાં આવી છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઈ છે.

Rajkot: લોકમેળાનું આયોજન તો કર્યું, પરંતુ કોરોનાના વધતા કેસે વધારી તંત્રની ચિંતા
Rajkot: The Lok Mela was organized, but the rising cases of Corona increased the system's concern
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 9:52 PM

એક તરફ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ તહેવારોની (Festive Season) મોસમ જામી રહી છે, ત્યારે આરોગ્ય તંત્ર લોકમેળાના આયોજનને પગલે ચિંતિંત છે. રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં જન્માષ્ટમીનું પર્વ શરૂ થશે અને તેવા સમયે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લોકમેળા (Lokmela) યોજાશે, જેમાં લાખોની સંખ્યામાં જનમેદની એકત્ર થશે. લોકમેળામાં લોકો પોતાના વતનમાં બહારથી પણ આવતા હોય છે તેવા સમયે તેવા આરોગ્ય વિભાગે સૌ કોઈને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે કોરોનાના કેસમાં વધારો થયો છે, પરંતુ મોટાભાગના દર્દીઓ સામાન્ય લક્ષણો ધરાવે છે, જોકે તેમ છતાં સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી  કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે  લોકમેળામાં આવતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

જનમેદનીને સાવચેત રહેવા કરાઈ અપીલ

લોકમેળામાં અને તહેવારમાં લોકો પોતાના વતનમાં બહારથી પણ આવતા હોય છે તેવા સમયે તેવા આરોગ્ય વિભાગે (Health department) સૌ કોઈને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે કોરોનાના કેસમાં વધારો થયો છે, પરંતુ મોટાભાગના દર્દીઓ સામાન્ય લક્ષણો ઘરાવે છે જોકે તેમ છતાં સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. વધુ લોકો ભેગા થતા સ્વાભાવિક રીતે જ  વધારે લોક એકબીજાના સંપર્કમાં આવે છે અને કોરોનાનું સંક્રમણ વધવાની બીક રહે છે. માટે તહેવારના માહોલમાં કોરોના પીક ન પકડે તે માટે તંત્ર દ્વારા જાગૃતિ રાખવાની અપીલ કરવામાં આવી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી મુસાફરી ન કરે

જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે  રહે તેવી અપીલ કરાવામાં આવી છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઈ છે. લોકો વેક્સીન ઝડપથી લઈ લે તે માટે મહાનગરપાલિકા દ્વારા રવિવારના દિવસે પણ વેક્સીનેશન ડ્રાઈવ ચાલુ રાખી છે. નોંધનીય છે કે 29 જુલાઈના રોજ કોરોનાના કેસમાં ઉછાળા સાથે નવા 1128 કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાં 391, વડોદરામાં 121, મહેસાણામાં 79, સુરત જિલ્લામાં 52, સુરતમાં 52, ગાંધીનગરમાં 51, વડોદરામાં 31, રાજકોટમાં 29, ભરૂચમાં 22, રાજકોટ જિલ્લામાં 22, કેસ નોંધાયા હતા. આથી તંત્ર દ્વારા  લોકોને સતત બૂસ્ટર ડોઝ લેવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે.

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">